________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
જિન ધર્મ પ્રકાશ. શિશ્યામતિને તજવા માગીનુરારીપ (શિકાગા) માદાની પૂરેપૂરી જરૂર છે. તેમાં પણ ન્યાય સંપન્ન વિભવ, વડીલ સેવા, વિજય અને કષાય ત્યાગ એટલા ઉપર તે બહુજ લક્ષ રાખવા જરૂરી છે. વળી દેવ ગુરૂ અને ધર્મની વિવિધ રીતે (સૂમ બુદ્ધિથી) પરીક્ષા કરી જે સત્ય અને શુદ્ધ તર નીકળે તેજ આદરવાની અને તેનું જ અખંડ આરાધના કરવાની જરૂર છે. અહીં સુધી ચતુર્થ ગુણસ્થાનકની હદ ગણાય છે. તેમાં શુદ્ધ દેવ ગુરૂ અને ધમની હરેક રીતે પૂજા પ્રભાવના કરવા અને તેમાં કાળદેષાદિકથી થતી મલીનતા ટાળવા પિતાનાથી બને તેટલો પુરૂષાર્થ ફેરવવો એ પિતાનું મુખ્ય કર્તવ્ય ગણાય છે. જે કાર્ય પિતાના અધિકાર બહારનું હેવાથી બની શકે એવું ન હોય તે કાર્ય જે અધિકારી અને કરી શકે તેમ હોય તેમને પોતાનાથી બની શકે તેટલી અને તેવી સહાનુભૂતિ (સહાય) આપવી એ પણ ઘણું જ અગત્યનું કર્તવ્ય છે. તેમજ નીચલા ગુણસ્થાનક વાળાએ ઉપલા ગુણસ્થાનકે જવા માટે ભાવના સહ અભ્યાસ પણ અવશ્ય કર્તવ્ય છે. પાંચમે ગુણસ્થાનકે જ્ઞાન ( સમજ) પૂર્વક સ્થલ પ્રાણાતિપાત વિરમણ વિગેરે (હિંસા ત્યાગાદ) વ્રત અંગીકાર કરી કાળજીથી પાળવાની જરૂર છે. તેમજ રાવથ હિંસા ત્યાગ–અહિંસાદિક મહાવની ભાવના સહ તે માટે બનતે ૨૫ભ્યાસ કર્તવ્ય છે. છ ગુણસ્થાનકે સર્વે મહાવ્રતા સદગુરૂ સમીપે સમજપૂર્વક આદરી તેમનું યથાર્થ રીતે-દૂષણ રહિત પરિપાલન કરવા કાળજી રાખવાની જરૂર છે. તેમજ અપ્રમત્ત દશાની ભાવના સહ અભ્યાસ કર્તવ્ય છે. એમ ઉત્તરે ત્તર સમજવું. ગુણસ્થાનક કમરેહ ગ્રંથમાં આ બાબત વિશેષ સ્પષ્ટતા કરેલી છે. ત્યાંથી તે સંપૂર્ણ અધિકાર વિશેષરૂચિ જનેએ અવગાહી લેવા યોગ્ય છે. તેમાં પ્રમત્ત ગુણસ્થાનક સુધી આવશ્યક પ્રમુખ કિયા અવશ્ય કર્તવ્ય રૂપે જણાવી છે, અને તેની કઈ રીતે ઉપેક્ષા કરનારને મિથ્યામતિ કહે છે. આવી રીતે ગુણસ્થાનકના ઉમે સમજ પૂર્વક કર્તવ્ય કર્મ કરવામાં પરાયણ રહેતો અવશ્ય પરમપદ પ્રાપ્ત થાય છે. તે વાત શાસ્ત્રકાર જણાવે છે—
વોરાવાળી, વોળાાિંરાખેa.
इत्येवं निर्गुणं ब्रह्म, परोक्तमुपश्यते ॥ ७॥ શબ્દાથ–ત્યાગી-સંયમી પુરૂષ અનુકને પન વળ અને કાયાને સંકેલીને તજજન્ય સમસ્ત વ્યાપારોને તજી દે છે અને એવી રીતે નિષ્ક્રિય અવસ્થાને પામી . - દર્શનાએ જેને નિર્ગુણ બ્રહ્મ કહીને બોલાવે છે એવા પરમાતમ પદને પામે છે.
પરમાર્થ અને વિવરણ–-જેમ જેમ આમા વસંયમમાં સુદઢ બનતો
For Private And Personal Use Only