________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ધર્મ પ્રકાશ.
કામદેવનશવતી જીવ પિતાની મોટાઈ, પંડીતાઈ, વિવેકીપણું કુલીનતા વગેરે સર્વ ગુમાવી બેસે છે. તે વિષે કહ્યું છે કે
तावन्महत्वं पामित्य, विवेकित्वं कुबिनता । यावज्ज्वति नाङ्गेषु, हन्ति पंचेषु पावकः ।
જ્યાં સુધી પંચબાણ-કામદેવ અંગમાં પ્રગટ નથી ત્યાંસુધીજ માણસની મેટાઈ, પાંડત્ય, વિવેકીપણું અને કુલીનતા જળવાઈ રહે છે.”
કામદેવને જે પુરૂષ જીતી શક્યા છે તેમને જ ધન્ય છે, તેઓજ આ દુનિયામાં હમેશાં પૂજનીય છે, તેઓ જ હમેશાં ઉચ્ચ સ્થાન મેળવે છે અને તેમનું જ પરમ પવિત્ર ચરિત્ર અનુકરણ કરવા એગ્ય છે.
લગભગ દરેક સંપ્રદાયમાં અગ્રસ્થાન ધરાવતા બ્રહ્મચર્યવ્રતધારી સાધુ જનેજળી આવે છે. આપણા હિંદુ ધર્મમાં તે શું બલ્ક ક્રિશ્ચિયન પ્રજામાં પણ આ વર્ગના રોમન કેથેટીક પ્રીટ્સ fathers ના ઉપનામથી ઓળખાતા મનુષ્ય છે. આ કલિયુગના સમયમાં અવસર્પિણી કાળમાં આ ચતુર્થ વતનું માહા એ. ટઃ લેખવવામાં આવે છે કે મનુષ્યમાં રાધુ પરૂપમાં-ગુરૂ વર્ગમાં, કદાચ અન્ય ગુછે વિશેષ સારા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા નહિ હોય છતાં પણ જે તેઓ બકર્યદતનું મન, વચન, અને કાયાથી સદા સેવન કરતા હશે તે તેઓ અવશ્ય આપઘામાં પ બુદ્ધિ ઉત્પન્ન કરશે. ટૂંક સમય પહેલાં જ સ્થાપિત થયેલ સ્વામી નારાયણ સંપ્રદાય કંઈ પણ કપ્રિય થઈ પડ્યો હોય તો તે તેમના સાધુવર્ગમાં જોવા માં આવતા બ્રહ્મચર્યના પ્રભાવને જ આભારી છે.
સુધરેલી દુનિયામાં વૈષ્ણવ સંપ્રદાય તેમના આચાર્યોની ગેરવર્તણુકને લઈને જગબત્રીશીએ ચડેલ હતુંતેનું કારણ પણ શોધવા જવું પઢે તેમ નથી. પરકાય - દેશ વિદ્યાને ઘણીજ વખાણવા યોગ્ય રીતે (?) ઉપયોગ કરી અમરક રાજાના શબમાં પ્રવેશ કરી તેની રાણીઓ (પરસ્ત્રી) સાથે ભેગભગવનાર શ્રીમાન આદ્ય શંકરાચાર્યના વર્તન માટે શું વિચાર કરે ? વળી કાશ્મીરમાં આવેલા શારદામંદીરમાં દક્ષિણ દ્વાર ઉઘાડી પ્રવેશ કરી સર્વત્તપીઠ ઉપર ચડવા જતી વખતે પિતાના અશુદ્ધ વન માટે શારદા દેવી તરફથી અટકાવવામાં આવતાં અન્ય શરીરે ભેગવેલ પાપને આ શરીરને લેપ લાગી શકે નહિ એ જે તેમણે ખુલાસે કરેલ તે શિષ્ટ જન
For Private And Personal Use Only