Book Title: Hriday Pradip
Author(s): Chirantanacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 41
________________ ૩૦ હૃદયપ્રદીપ અર્થ – કોનું ધન વિનાશને નથી પામ્યું? અને કયા દરિદ્રીઓ ધનવાન થયેલા નથી જોયા? દુઃખના એકમાત્ર હેતુભૂત એવી ધન વિષેની અતિ તૃષ્ણાને છોડીને (જ) માણસ સુખી થાય છે એમ મારો વિચાર છે. . ભાવાર્થ – આ કાવ્યમાં કર્તાએ આપેલી સલાહ બહુ કિંમતી છે. ધનવાન કે નિર્ધન થવું તે ભાગ્યાધીન છે, અર્થાત્ લાભાંતરાયના ક્ષયોપશમથી પ્રાણી ધનવાન થાય છે અને લાભાંતરાયનો બંધ કરવાથી નિધન થાય છે. પરંતુ તૃષ્ણા અત્યંત રાખવી અને તેને અંગે અનેક પ્રકારનાં છળ, પ્રપંચ, ઠગાઈ, અપ્રામાણિકપણું કરવું અથવા અનેક પ્રકારના પાપારંભનાં - મોટી હિંસાનાં કારણો જોડવાં તે તો પરભવમાં અવશ્ય નિર્ધનપણું જ આપનાર છે, કેમ કે એ બધાં કાર્યો લાભાંતરાયનો બંધ કરાવનાર છે. કર્તાની આ સલાહ દ્રવ્ય તજી દેવાની નથી, પણ તેને મેળવવા માટે અને રક્ષણ કરવા માટે જે અત્યંત લાગણી ધરાવવી તે તૃષ્ણા કહેવાય છે, એવી અતિ તૃષ્ણા તજી દેવા માટે આ કાવ્યમાં ઉપદેશ કરવામાં આવ્યો છે. Explanation – Wealth is considered to be a major source of pleasure. This pleasure is very momentary since wealth increases or decreases with fluctuating fortune. Man, therefore ought to give up his excessive thirst for wealth.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154