Book Title: Hriday Pradip
Author(s): Chirantanacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 43
________________ હદયપ્રદીપ અર્થ – સંસારના દુઃખ જેવો બીજો કોઈ રોગ નથી. સમ્યગુ. વિચાર જેવું બીજું કોઈ ઔષધ નથી. તેથી તે રોગ સદશ દુઃખનો નાશ કરવા માટે સારા શાસ્ત્ર થકી આ વિચાકરવામાં આવે છે. ભાવાર્થ – આ સંસારી જીવ જ્વરાદિક રોગને જ રોગ કહે છે, પણ જીવને સાંસારિક અનેક પ્રકારની વ્યાધિઓ - માનસિક, વાચિક અને કાયિક વળગેલી છે. તેમાં માત્ર કાયિકને જ વ્યાધિ રોગ તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ તે સિવાયના બીજા રોગ તે કરતાં વધી જાય તેવા - વધારે દુઃખના આપનારા, ઉપાધિના કરનારા, કર્મોના બંધાવનારા છે. તે સર્વ પૂર્વકર્મજન્ય છેતે રોગમાત્રનું નિવારણ કરનાર પરમૌષધ યગુ વિચાર જ છે. તેના વડે જ સર્વ વ્યાધિઓ નિર્મુળ થઈ શકે છે; પરંતુ તે સમ્યગૂ વિચાર ઉત્પન કરવા માટે - જાગૃત કરવા માટે સજ્ઞાનની પૂર્ણ આવશ્યકતા છે. સમ્યક્ પ્રકારના બોધ સિવાય સમ્યગુ વિચાર ઉત્પન્ન થઈ શકતા નથી. સમ્યગુ બોધ પણ શુદ્ધ શ્રદ્ધા વડે જ થઈ શકે છે. સમ્યક્ શ્રદ્ધા વિનાનો બોધ તે સમ્યમ્ બોધ કહેવાતો જ નથી. તેથી સમ્યક્ શ્રદ્ધાયુક્ત સમ્યગૂ બોધ પ્રાપ્ત કરી સત્શાસ્ત્રોનું અવગાહન કરી તપૂર્વક સમ્યગૂ વિચાર કરવો કે જે પરમૌષધ. વડે આ જીવને ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની સાંસારિક વ્યાધિઓ સહેજે નાશ પામે. આ કાવ્યમાં કર્તાએ ખરેખરા રોગને અને તેનાં ઔષધને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં થોડા શબ્દોમાં એક મહાન કૂંચી બતાવી દીધી છે. Explanation - Disease and death are feared by all men, but for a soul, this very worldly existence is _ the_worst disease-of- all. This affliction can be cured only by the panacea of right reflection'.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154