Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1208 , હૃદય નયન નિહાળે જગધણી
અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંબે રે પુદ્ગલ ગણ તેણે લેસુ વિશેષ, યથાશક્તિ મતિ લેખે રે..વીર...૩
અર્થ: પ્રત્યેક આત્માના અસંખ્ય આત્મપ્રદેશ હોય છે અને એક એક પ્રદેશે “અસંખે એટલે ગણત્રી ન કરી શકાય, કલ્પનામાં ન આવી શકે તેટલું વીર્ય છે. આથી જ કરીને અસંખિત કંખે રે – અગિણત પ્રકારે જીવ મન-વચન-કાયાના વ્યાપાર સ્વરૂપ યોગને અભિષે છે અર્થાત્ અગણિત પ્રકારે યોગોમાં વીર્યને ફોરવે છે.
તેથી કરીને તે તે સમયની વેશ્યા પ્રમાણે બુદ્ધિના અનુસાર દારિક, કાર્મણ વર્ગણાનું ગ્રહણ થતું રહે છે.
વિવેચનઃ આત્માના અસંખ્ય આત્મ પ્રદેશ અગણિત વીર્ય પ્રવર્તી રહ્યું છે. અનંતકાળથી આત્માના પ્રદેશો કાર્મણવર્ગણાના બનેલા કર્મ સાથે જોડાયેલા છે. કર્મના સંબંધે આત્માનું જોડાણ હોવાથી ભવે ભવે ઓદારિક કે વૈક્રિય વર્ગણાના પુદ્ગલોથી બનેલ ઔદારિક કે વૈક્રિય દેહ સાથે તેનું જોડાણ થતું રહ્યું છે અને તેથી તે તે ભવે પ્રાપ્ત મન-વચન અને કાયાના યોગોનું પ્રવર્તન થતું રહ્યું છે.
અનંતકાળથી સંસારમાં ભટકતાં જીવે, અન્ય જીવો સાથે તેમજ પુદ્ગલ સાથે સંબંધમાં આવીને પોતાનું વીર્ય ફોરવ્યું છે અને તેવા પ્રકારના શુભાશુભભાવો તેમજ શુભાશુભલેશ્યા દ્વારા કલ્પનામાં ન આવે તેટલા કર્મના જથ્થા ભેગા કર્યા છે. દરેક ભવે ભવે પુદ્ગલ ભાવમાં-જડ ભાવમાં વીર્યને ફોરવવા દ્વારા આત્મયોગ ચૂક્યો છે અને અનંત-અનંત સંસારનું પરિભ્રમણ વધાર્યું છે. મળેલી વીર્ય શક્તિનો આ પ્રકૃષ્ટપણે થયેલ દુરુપયોગ છે. આવું અસંખ્ય પ્રદેશ રહેલ વીર્ય, અસંગતિ યોગે એટલે કે અશુભ
દાંઈ હતું નહિ, ઇડરૂપે તષ્ઠિ, હું જાણતા જ નહિં, ' એવું જે જ્ઞાન છે, તે જ વાસ્તવિક સત્ય, નિત્ય, જ્ઞાન છે, જે કેવળજ્ઞાન છે.