Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 453
________________ પરિશિષ્ટ - 1275 ૧) દ્રવ્યથી ક્ષેત્ર સાધુ મઠ, મંદિર ઉપાશ્રયના ધારક હોય છે. ૨) ક્ષેત્રથી ક્ષેત્ર સાધુ આસન સ્થિર હોય તે. ૩) કાળથી ક્ષેત્ર સાધુઃ નવકલ્પી વિહારવંત હોય તે. ૪) ભાવથી ક્ષેત્ર સાધુ: આયતન સ્થાનમાં રહે તે. ૧) દ્રવ્યથી કાળ સાધુઃ કાળે યથોચિત ભિન્ન ભિન્ન આવશ્યકાદિ ક્રિયાઓ કરનાર. ૨) શેત્રથી કાળ સાધુ કાળાનુસારે યોગ્ય ક્ષેત્રે વિહાર કરે તે. ૩) કાળથી કાળ સાધુઃ કાળાનુસારે આત્માર્થ સાધે છે. રાત્રે कालं समायरे। ૪) ભાવથી કાળ સાધુઃ સર્વ સમય સાવધાન રહે છે. ૧) દ્રવ્યથી ભાવ સાધુ: કોઈ પણ દ્રવ્યના પ્રતિબંધ વગરના હોય તે. ૨) ક્ષેત્રથી ભાવ સાધુ કોઈ પણ ક્ષેત્રના પ્રતિબંધ વગરના હોય તે. ૩) કાળથી ભાવ સાધુઃ કોઈ પણ કાળના પ્રતિબંધ વગરના હોય તે. ૪) ભાવથી ભાવ સાધુ શુભાશુભ કોઈપણ ભાવના પ્રતિબંધ વગરના હોય તે " - સમ્યત્વની નિર્મળતા માટે પણ વિચારવું કે ચાર પ્રકારના ધર્મઅર્થ-કામ-મોક્ષ પુરુષાર્થ છે. એમાં કામ અને મોક્ષ એ સાધ્યપુરુષાર્થ છે જ્યારે અર્થ અને ધર્મ અનુક્રમે સાધન પુરુષાર્થ છે. આ ચાર પુરુષાર્થ પણ ચતુર્વિધ હોય છે એટલે આત્માએ ખૂબ ચોકસાઈથી પોતાના પરિણામોને તપાસવા જરૂરી છે. યારિત્રની પરાકાષ્ઠા સિદ્ધાવસ્થા-પરમ શૈર્ય છે. યાત્રિાયારની પરાકાષ્ઠા જિનકલ્પ છે.

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464