Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 436
________________ 1258 હૃદય નયન નિહાળે જગધણી यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः । शुद्धानुभवसंवेद्यं, तद्रुपं परमात्मनः ।। આમ છતાં કથંચિત્ વક્તવ્ય ભાવે જણાવેલ છે કે, शब्दोपरं तद्रुपं, बोधकृन्नयपद्धतिः । निर्विकल्पं तु तद्रूपं, गम्यं नानुभवं विना ॥ આથી સિદ્ધ પરમાત્માના દ્રવ્ય-ગુણ, પર્યાય સ્વરૂપને જણાવતાં શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે, अविद्याजनितैः सर्वेः विकारैरनुपद्रुतः । व्यक्त्या शिवपदस्थोऽसौ शक्त्या जयति सर्वगः ।। ' સત્તા શુદ્ધ અરૂપી તેરી નહિ જગકો વહાર, - કયા કહિયે કુછ કહ્યુ ન જાયે, તું પ્રભુ અલખ અપાર. અનાદિ સંસારી આત્મા પોતે પૂર્વે બાંધેલા અષ્ટવિધ દ્રવ્ય-કર્મોના ઉદયાનુસારે, ચારેગતિમાં પ્રાપ્ત શુભાશુભ સંયોગ-વિયોગ રૂપ નોકર્મના નિમિત્તે રાગ-દ્વેષાદિરૂપ ભાવકર્મ કરવા વડે, નવિન અનંતા-અનંત કર્મોનો સમયે સમયે બંધ કરે છે. આ કર્મબંધની પરંપરામાંથી આત્માએઆત્માને છોડાવવા માટે, પ્રથમ તો સમ્યગ્દર્શન વડે, દ્રવ્ય કર્મના ઉદયે પ્રાપ્ત, નોકર્મથી-એટલે દેહ, ધન, સ્ત્રી, પુત્ર-પુત્રાદિકના મમત્વરૂપ પરિગ્રહથી આત્માને, દ્રવ્યથી તેમજ ભાવથી અળગો કરવો જોઈએ, પરના ગ્રહણ રૂપ પરિગ્રહથી છોડાવવો જોઈએ. આ રીતે નોકર્મથી અળગો થયેલો આત્મા અનુક્રમે રાગ-દ્વેષનો સંપૂર્ણ ક્ષય કરીને, સંપૂર્ણ વીતરાગતા વડે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને, અંતે અયોગી થઈને સર્વદ્રવ્યકર્મો (કાર્મણ દૃશ્ય પ્રત્યેની દૃષ્ટિ ધ્યાનમાં જવાથી ખસી જશે. એટલું જ નહિ દૃશ્ય પદાર્થ પ્રત્યેનો રાગ પણ પરિણામે ખસી જશે.

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464