Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 434
________________ 1256 હૃદય નયન નિહાળે જગધણી ઉદયે જીવ આઠે કર્મો બાંધે છે. આથી આત્માર્થી આત્માઓને અપ્રમતતા તેમજ સમ્યગ્ જ્ઞાનોપયોગ રૂપ જ્ઞાનક્રિયાનું મહત્ત્વ આપોઆપ સમજાય છે. ૪ અનંતાનુબંધી કષાયો ૪ અપ્રત્યાખ્યાનીય કષાયો ૪ પ્રત્યાખ્યાનીય કષાયો ૧ મિથ્યાત્વ (દર્શન) મોહનીય આ ૧૩ પ્રકૃતિઓ બંધમાં પણ સર્વઘાતી છે અને ઉદયમાં પણ સર્વઘાતી છે એટલે તીવ્ર રસોદય સહિત-ઉદય હોતે છતે, તેનો ક્ષયોપશમ હોતો નથી. ૪ સંજ્વલન કષાયો ૯ નોકષાય-(હાસ્યાદિ ૬ વેદ ૩) આ ૧૩ પ્રકૃતિઓનો બંધ સર્વઘાતી છે. તથાપિ દેશઘાતી રૂપે જ ઉદયમાં આવતી હોવાથી તેનો રસોદય ક્ષયોપશમનો વિરોધી નથી. આથી ઉદય વખતે તેનો ક્ષયોપશમ થઇ શકે છે. ઉપરની હકીકતથી સમજાશે કે સર્વઘાતી મોહનીય કર્મમાં મંદ રસોદય વખતે, આત્મા - જ્ઞાનાવરણીયના વિશિષ્ટ ક્ષયોપશમ દ્વારા, મોહનીય કર્મોનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરી શકે છે. આથી જ જ્ઞાનચેતનામાં જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમની મહત્તા સર્વ આપ્ત પુરુષોએ દર્શાવેલી છે અને સ્વીકારેલી છે. c) કર્મફળચેતના :– જીવને સુખ કે દુઃખનો પરિણામ તે કર્મફળચેતના સમજવી. સમસ્ત સંસારી જીવોને પોત-પોતાની, શુભાશુભ પ્રવૃત્તિ સમતા એ મોહનીય ઉપર વિજય છે.

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464