Book Title: Hitopdesh
Author(s): Kanthsuri, Chhotalal N Bhatt
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાયો અનુભવ સિદ્ધ હોય એમ લાગે છે. કેમકે એમાંના કેટલાક ઉપાયો અમે રોગીઓ ઉપર અજમાવી જોયા તે રામબાણ નીવડ્યા છે. કેટલાક સામાન્ય અને વાળો, રાંગણ, વગેરે રોગોના ઉપાય જે વૈધકના મોટા ગ્રંથોમાંથી મળી આવતા નથી, તે પણ આમાં બતાવેલા છે. વિશેષ ખુબી એમાં એ છે કે રેગેના ઉપાય સહજ બની શકે એવાજ એમાં બતાવેલા છે, જેથી હરકોઈ માણસ હરકોઈ સ્થળમાં જોઇતાં ઔષધ મેળવી રોગનો પ્રતિકાર કરી શકે. તથાપિ અમારી સલાહ એવી છે કે બનતા સુધી વૈદ્યની સલાહ લેઈ ઉપાય કરવા એજ ઠીક છે. લખેલી અસલ સંસ્કૃત પ્રત ઘણી જૂની તેમ અશુદ્ધ લખાયેલી હોવાને લીધે ભાષાન્તર કતાં મુદત બહુ વીતી છે, તે બાબત અમો અમારા અગાઉ થયેલા ગ્રાહકોની ક્ષમા ચાહીએ છીએ. આ ગ્રંથની સાથે અમે કેટલોક ઉપયોગી વધારો જ છે. અમારા વડીલે પરાપૂર્વથી વૈધકને ધંધો કરતા આવેલા હોવાથી તેમની પાસે ઘણક જટિલ ક્રિયાઓ અને ગુપ્ત ઔષધોના લેખ છુટા છવાયા પડી રહ્યા હતા. તે સર્વમાંથી જે અમને ઉપયોગી જણાયા તે આ ગ્રંથની સાથે અમે જોયા છે. ઘણાક માણસો એવા હોય છે કે પિતે કાંઈ ચમત્કારિક ઔષધ જાણતા હોય તો તે બીજાને બતાવતાં ખાંચો ખાય છે, પણ તેમ કરવાથી કદાચ તે જ્ઞાન પણ તે જાણનારની સાથે બિલકુલ નાશ પામી જાય છે. આ હેતુથી જે કાંઈ સારૂં હોય તે પ્રકટ કરી દેવું કે જેથી તેને લાભ બીજાએ લઈ શકે, એવા વિચારથી અમે તેવાં ઔષધે પણ આમાં દાખલ કર્યા છે. છેવટે આ ગ્રંથ સહુ કોઈને ઉપયોગી થાય, એટલે અમારે પ્રસિદ્ધ કરવાનો હેતુ સફળ થયો એમ અમારૂં ધારવું છે. * ભસ્મનાં અનુપાન (ભો શામાં ખાવી) આ બાબતનું લાંબુ વિવેચન અનુપાન મંજરી નામના ગ્રંથમાં ઉત્તમ રીતે કરેલું છે, તેથી તે, મને આ ગ્રંથમાં આપવાનું ઠીક લાગ્યું નહિ, માટે આપ્યું નથી. વૈવ દુર્ગાશંકર અંબાશંકર, વડોદરા. * આ ગ્રંથમાં અને છેવટે કેટલીક ભમો બનાવવાની પદ્ધતિ આપેલી છે. પણ હરકેઈ સારા વૈધની સલાહ લીધા સિવાય બનાવવાની કે ખાવાની ખટપટમાં પડવું હિતકારક નથી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 262