Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 7
________________ આત્માઓને ઉચિત લાગે કે ન લાગે તેનું અમારે કંઈ પ્રયોજન નથી). (૩) જેણે માતાની જેમ સદેવ વાત્સલ્યથી અમારું લાલન-પાલન કર્યું છે અને સમ્યગ જ્ઞાન તથા ક્રિયાનું શિક્ષણ આપ્યું છે (મેક્ષમાર્ગ આપે છે) તે પરમપકારી ગુરૂનું અમે કેટલું વર્ણન કરી શકીએ ? () “તે પણ પૂજ્યની સ્તુતિથી તેના ગુણ બને છે? એ ન્યાયથી અમારા હિતને માટે અમે જે અનુભવ્યું અને સાંભળ્યું છે તેને (પુનઃ પુનઃ સ્મરણ કરવાના ઉદ્દેશથી) કંઈક માત્ર અહીં લેખ રૂપે એકઠું (સંગ્રહિત) કરીએ છીએ. (૫) સ્વ. ગુરૂણ શ્રીચન્દન શ્રી જી. અહીં જે અમારાં ગુરૂણીને અંગે લખવાનું છે તેઓનાં દાદી ગુરૂજી પૂજ્ય શ્રીચર્જનશ્રીજી મહારાજ હતાં, ઉત્તમ આત્માઓને ઉત્તમ ગુરુઓને કે સુન્દર વેગ મળે છે તે જાણવા માટે તેઓને અંગે પણ જે અલ્પમાત્ર જાણવામાં આવ્યું છે તે અહીં નોંધી અમે કંઈક માત્ર કૃતજ્ઞતા અનુભવીએ છીએ. અમદાવાદ (રાજનગર)ના રાયપુર વિભાગમાં આકાશેઠના કુવાવાળી પળ' નામે પ્રસિદ્ધ પિળમાં ધર્મનિષ્ઠ શેઠ વરજીવનદાસ આશારામ નામે ઉત્તમ શ્રાવક રહેતા હતા, તેઓનું કુટુમ્બ “ખરીદી આભઅટકથી આજે પણ પ્રસિદ્ધ છે. તેઓને સુશીલા જયકરભાઈ નામે ધર્મશીલ પત્ની હતાં. વ્યવહાર કૌશલ્ય, કુલીનતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52