________________
દિવસે આઠ જ વાપરવાં, એ નિયમનું છેક સુધી પાલન કર્યું હતું. દીક્ષાદિનથી વશ વર્ષ એકાસણાથી એ તપ કર્યો ન હતું, તેમાં પણ દશતિથિ તે આયમ્બિલ ઉપવાસથી ઓછું નહિ. છેક બાલ્યવયથી આરમ્ભલી નવપદની શાશ્વતી ઓળીની આરાધના છેક છેલ્લા વર્ષ સુધી ચાલુ રાખી હતી. વર્ધમાન તપની પણ ૧૭ ઓળીઓ કરી હતી. અઢાઈને તપ પણ તેઓએ કર્યો હતો, વિગઈઓ પણ પ્રમાણભૂત જ લેતાં, અનેક જાતની વસ્તુઓ મળવા છતાં આ યુગમાં આ રીતે તેમણે સાચવેલો રસનાને કાબૂ સહજ પ્રશંસા માગી લે છે. એમના આ ગુણની છાયાથી આશ્રિતવર્ગ પણ વિના પ્રેરણાએ તેમને અનુસરવા યથાશક્ય જાગ્રત રહે છે. અનેક જીના કલ્યાણની જવાબદારી માટે તેમને આ ગુણ તેમને સારે સાથીદાર બન્યા હતે.
ભાષામાં મધુરતા ઉપરાન્ત દઢતા અને સત્તવ પણ હતાં. પ્રાયઃ આદેયં નામકર્મના ઉદયને લીધે તેઓનું વચન કઈ ઉત્થાપતું નહિ, વર્ષો સુધી સેંકડે સાધ્વીઓને સમ્માળવા છતાં તેઓ પ્રત્યે એક પણ સાધ્વીને અસદ્ભાવ થવાને પ્રસંગ બન્યું નથી, દરેક તેમની સેવામાં રહેવા ઈચ્છતાં, હિતશિક્ષા સાંભળતાં અને જુદાં વિચરતાં વિરહનું દુઃખ અનુભવતાં, એ એમની મધુર પ્રિય અને હિતકર વાણીને મહિમા હતા.
અપ્રમાદ અનુકરણીય હતું, ક્રિયામાં જાગૃતિ હતી, ઉભય ટાઈમ બનતાં સુધી ઉભા ઉભાં પ્રતિક્રમણ કરતાં, નિદ્રા પરિમિત હતી, પાછલી રાત્રે વહેલા જાગ્રત થઈ દરરોજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com