________________
કરી છનીઆર ગયાં અને ૧૯૭૬માં ચાતુર્માસ ત્યાં રહ્યાં. ત્યાંથી વિહાર કરી અમદાવાદ ગયાં, ત્યાં શ્રા, શકરીબહેનને દીક્ષા અપાવી પિતાનાં શિષ્યા કરી સાશાનિત શ્રી નામ આપ્યું. ચોમાસું પણ વિ. સં. ૧૭૭નું ત્યાં જ પૂર્ણ કર્યું. વિહાર કરતાં વિ. સં. ૧૯૭૮માં ઘમડાચાનાં વતની પાલીહેન, અમદાવાદ ઘાંચીની પિળનાં રહીશ સમરતબહેન તથા ઘુસા પારેખની પિળનાં જાસુદહેન અને પછીબહેન, એમ ચારને દીક્ષા આપી અનુક્રમે પ્રબોધશ્રીજી, સંજમશ્રીજી, સુશીલાશ્રીજી અને પક્વાશ્રી નામ આપ્યાં. સં. ૧૯૭૮નું ચાતુર્માસ પુનઃ ત્યાં જ કર્યું, ચાતુર્માસ પછી વિચરી પુનઃ સં. ૧૯૭નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. ત્યાંથી વિચરી છાણી ગયાં અને વડોદરાનાં વતની જશકે રહેનને ઉમેટામાં દીક્ષા અપાવી તેમનું નામ સુદશનાશ્રી રાખ્યું. ૧૯૮૦નું ચાતુર્માસ છાણમાં કર્યું અને ૧૯૮૧માં અમદાવાદ ચાતુર્માસ માટે પધાર્યા. ચોમાસા પછી વિહાર કરી પાલીતાણા પધાર્યા, ત્યાં છરી પાળતાં નવાણું યાત્રાથી શ્રી ગિરિરાજની આરાધના કરી, પુનઃ અમદાવાદ પધાર્યા, ત્યાંનાં રહીશ હીરાહેનને દીક્ષા આપી સારા વસતશ્રીજી નામ રાખ્યું. સં. ૧૯૮૨માં પણ ચાતુર્માસ અમદાવાદ કર્યું. ચાતુર્માસ પછી ત્યાં શામળાની પળવાળાં લલિતાબહેનને, વાઘણપિળવાળાં લીલાબહેનને, વીરમગામવાળાં ચન્દનહેનને, ફતાશાની પળવાળા માણેકહેનને, ખેતરપાળની પોળવાળાં કમળાબહેનને, પાટણનાં રહીશ વિજયાબહેનને, ઘાંચીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com