Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir

View full book text
Previous | Next

Page 46
________________ નથી. શ્રદ્ધા મેરુ પર્વત જેવી અચળ-દૃઢ જોઈએ કે ગમે તે થાય, સંજોગો ગમે તેવા બને પરંતુ આત્મા જે કૃપાળુદેવે સમજાવ્યો છે તે સાચો છે એવી જે શ્રદ્ધા તે અડગ રહે. આમ અચળપણે આજ્ઞા આરાધવા માટે તારામાં મને વિશ્વાસને બહુમાન જોઈએ કે તું કહે છે તે જ સત્ય, તે જ હિત છે. સાચું સુખ સત્પુરુષના કહેવા પ્રમાણે જ ચાલવામાં છે. તેમનાં વચનામૃત વાંચી તેમના પ્રત્યે બહુમાન થાય; વિશ્વાસ આવે કે મારું હિત આમાં જ છે તો પછી તારી આજ્ઞા અવશ્ય આરાધાય. તારું જ્ઞાન, તારી દશા તેનું ભાન થઈ પરમ આદરભાવ પ્રગટે ને મારા દોષો જઈ વિનયાદિ ગુણો પ્રાપ્ત થાય. એમ. બાહ્યમાંથી નિવર્તી, અંતરાત્મા થઈ પરમાત્મા પ્રત્યે લીન થવાનો ઉપાય – સમક્તિનો માર્ગ આ દોહરાઓમાં વર્ણવ્યો છે. સમક્તિ થવાનાં એક પછી એક સાધન બતાવે છે. પ્રથમ શુદ્ધ ભાવ, સર્વ તુજ રૂપ, લઘુતા, દીનતા અથવા અપંચકપણે શરણે રહું, આજ્ઞા અચળપણે આરાધું વગેરે. ૩૮


Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106