Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir

View full book text
Previous | Next

Page 97
________________ દોષ હોય તે જણાય નહીં; નિમિત્ત મળ્યે દોષ ઊભા થાય. આત્માની આરાધના નથી કરતો એ મોટો દોષ છે. જે જે કારણને લઈને આત્માની આરાધના થતી નથી તે મારાં પાપો ટળી જાય, એ મારી અભિલાષા છે. પાપથી મુક્ત થાય તો નિર્દોષ થાય. મોક્ષ શું? આત્માની શુદ્ધતા પાપરહિત દશા એ જ મોક્ષ છે. બધાં કર્મ પાપ છે. તેમાં ચાર ઘાતિયાં કર્મ મુખ્ય પાપ છે. તે જાય તો પરમાત્મા થવાય. તેથી તે ઘાતિયાં કર્મ તોડવા પ્રયત્ન કરવો જોઈએ. “ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરસણ જગનાથ.” પાપ થયું હોય તો પછી શું કરવું? પશ્ચાત્તાપ. પાપ કરીને રાજી થાય, તેનું અભિમાન કરે તો તીવ્ર કર્મ બાંધે જેમકે શ્રેણિક રાજાએ બાણ માર્યું તે હરણને વીંધીને ઝાડમાં પેસી ગયું; તેનું અભિમાન કરવાથી નરકનું આયુષ્ય બાંધ્યું અને પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ક્રોધના વિચારોથી સાતમી નરકે જવાય એવાં પાપનાં દળિયાં બાંધ્યાં; પરંતુ પાછો પશ્ચાત્તાપ કરવાથી છૂટી ગયા. પાપથી મુક્ત કેમ થવાય? પશ્ચાત્તાપ કરવાથી. વીસ દોહરા, ક્ષમાપના વગેરે ૮૯

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106