________________
માન્ય થાય. પ્રભુશ્રીજી કહેતા કે ચોખ્ખો થઈને આવ. કામધંધા, માન-પ્રતિષ્ઠા, ઘરકુટુંબમાં પ્રતિબંધ થઈ ગયો છે. આત્મા સિવાયની સર્વ પ્રકારની વાસના છોડવી જોઈએ. બધેથી નિવર્લે-વૈરાગ્ય પામે તો આત્મા શુદ્ધ થાય ને સમક્તિ પ્રગટે.
એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શુંય? ૧૩
સંસારથી તરવા માટે અનેક સાધનો છે તેમાંનાં મુખ્ય ઉપરની ગાથાઓમાં વર્ણવ્યાં છે. આ સાધનો રોજ વિચારી આરાધવાનાં છે. સંસારમાં જીવને બંધાવાનાં કારણો અનેક છે તેમ છૂટવાના ઉપાયો પણ અનેક છે. જે જીવો મોક્ષે ગયા છે તે આ સાધનો આરાધીને મુક્ત થયા છે. પરંતુ મારાથી તો હજુ એક પણ સાધન યથાર્થ રીતે થયું નથી. વળી આત્માના અનંત ગુણો છે તે કર્મને લઈને અવરાઈ ગયા છે. જ્યાં સુધી મિથ્યાત્વ ટળીને સમક્તિ - આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સ-આત્માનો ખરો ગુણ એકે પ્રગટયો ન કહેવાય. દયા, શાંતિ, ક્ષમા વગેરેને તો હજુ ઓળખ્યા
૫૪