Book Title: Gyanpad Bhaije Re Author(s): Shrutgyan Prasarak Sabha Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 6
________________ CS બીજી આવૃત્તિની પ્રસ્તાવના ઉદાર દિલનાં માણેક બહેન પાસેથી પ્રથમવૃત્તિની તમામ બુકો થોડા વખતમાં જ ભેટ તરીકે અપાઈ ગઈ એટલે તરતમાં જ બીજી એક હજાર નકલ છપાવવા તેમણે ઈચ્છા જણાવી એટલે મૂલ્યથી લેવા ઇચ્છનારને પણ આ બુકનો લાભ મળી શકે તેટલા માટે એક હજાર નકલ અમારા તરફથી વધારીને આ બીજી આવૃત્તિની બે હજાર નકલો છપાવવામાં આવી છે. પ્રથમવૃત્તિ કરતાં પ્રારંભના ભાગમાં તો સહજ અક્ષર શુદ્ધિ જ કરવામાં આવી છે, પરંતુ પ્રાતે આવેલા જ્ઞાનપંચમીના દેવવંદનના અર્થ આ આવૃત્તિમાં જે દાખલ કરવામાં આવેલા છે તેની અંદર પ્રથમ કરતાં ઘણો જ સુધારો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ દેવવન્દનના અર્થ અને નોટ તદન નવાં જ લખવામાં આવ્યાં છે. આ અત્યુત્તમ પ્રયાસ પૂજ્યપાદ સગુણાલંકૃત આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ શિષ્ય પૂજ્યપાદ પંન્યાસજી શ્રી ઉદયવિજયજી ગણિએ કર્યો છે તેને માટે તેઓ સાહેબનો રિણથી આભાર માનવામાં આવે છે. એઓ સાહેબે મેળવેલા જ્ઞાનનું રોત થયેલા અપૂર્વ અનુભવ બોધનું આમાં કિંચિત્ દિગદર્શન કરાવ્યું છે. પોતે મેળવેલા શાનનો આ પ્રકારે અનેક જીવોને લાભ મળી શકે છે. ઉત્તમ મુનિ મહારાજાનું એ કર્તવ્ય જ છે. આશા છે કે આ બુક અનેક જીવોને ઉપકારક થશે. ઈત્યમ્, શ્રાવણ શુદિ-૫ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા સં. ૧૯૭૦ ભાવનગર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 322