Book Title: Gyanpad Bhaije Re Author(s): Shrutgyan Prasarak Sabha Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 5
________________ આ બુકમાં દાખલ કર્યો અને પ્રારંભમાં તે તપ કરવાનો વિધિ અને અંતમાં તે તપના પ્રકાર તથા ઉજમણાનો વિધિ સવિસ્તર દાખલ કરવામાં આવ્યો.. આ રીતે આ બુક તૈયાર કરવામાં આવી છે. જ્ઞાનપંચમી તપનું આરાધન કરનાર વરદત્ત ને ગુણમંજરીની કથાનું ભાષાંતર આ બુકમાં આપવાની ધારણા હતી, પરંતુ જ્ઞાનપંચમીના મોટા સ્તવનમાં તે કથા આવી જતી હોવાથી પુનરાવર્તન ન થવા માટે તે દાખલ કરવામાં આવેલ નથી. આ બુકનું કદ ધાર્યા કરતાં મોટું થયું છે, તેમજ વિલંબ પણ વધારે થયો છે; પરંતુ એક ઉપયોગી સંગ્રહ તૈયાર થયેલો હોવાથી તે જ્ઞાનપંચમી તપનું આરાધન કરનારને અવશ્ય ઉપયોગી થઈ પડશે એમ ખાત્રી થવાથી પ્રસિદ્ધ કર્તાને તેમજ તેમાં ઉદાર દિલથી દ્રવ્યનો વ્યય કરનારને સંતોષ પ્રાપ્ત થાય આ બુક જ્ઞાનપંચમીના તપ કરનારા ભાઈઓ તથા બહેનોને શેઠ જમનાભાઈ ભગુભાઈનાં પત્ની તરફથી ભેટ દાખલ આપવા માટે જ છપાવવામાં આવી છે. તેથી આ જ્ઞાનદાનમાં પુન્યના ભાગી તેઓ થયા છે, એટલું જ નહીં પણ આ બુક વાંચવાથી અનેક ભવ્ય જીવો એ તપ કરવા ઉજમાળ થશે તેમજ વિધિશુદ્ધ એ તપનું આરાધન કરશે એના પણ એ પુન્યશાળી કારણિક થશે, આટલું જણાવી આ ટૂંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. ઇત્યમ્ વિસ્તરણ. ભાદ્રપદ શુદિ-૫, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા સં. ૧૯૬૯ ભાવનગર. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 322