Book Title: Gujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Author(s): Bhogilal Girdharlal Mehta
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 202
________________ અર્વાચીન સમયને વ્યવહાર [ ૧૭૩ વિષે એક કમિટિ નીમાયેલી ને ઈ. સ. ૧૯૩૩ માં હરીફાઇ માટે બીજી કમિટિ નીમાયેલી. “ઈ. સ. ૧૯૨૫-૨૬ પછી રેલ્વે ઉતારૂની આવકમાં સતત ઘટાડો થાય છે તે કેટલેક અંશે મેટરની વધતી જતી હરીફાઈ સિદ્ધ કરે છે. જે ચાંપતાં પગલાં લેવામાં નહીં આવે તે ઘણો સસ્ત, અનુકૂળ અને ઉતાવળે મોટરવ્યવહાર એક વખત શરૂ થયા પછી ફરીથી ઉખાડવો મુશ્કેલ પડશે. ઉતારૂને મોટે ભાગ ટુંકી મુસાફરી કરે છે તે વાત ધ્યાનમાં લઈએ તો રેલ્વેને ટુંકા વ્યવહારની અગત્ય બહુ જ છે, એમ સાબીત થાય છે.”૩ શ્રી. ખુશાલચંદ શાહ કહે છે તેમ રસ્તા અને રેલ્વેના વ્યવહાર વચ્ચે એવી સરસ વહેંચણી થવી જોઈએ કે જેથી તેને ઉપયોગ કરનારાને તે એકંદરે લાભદાયી નીવડે.* મૂળ ગુજરાતની મુખ્ય રેલવે અને શાખાઓ પહોળા પાટાની ઇ. સ. ૧૮૬માં પહેલવહેલી ઉતરાણથી અંકલેશ્વર શાખા ખુલ્લી મૂકાઈ હતી. ત્યાર પછી નર્મદાથી ભરૂચ, અંકલેશ્વરથી નર્મદા અને સુરતથી ઉતરાણ વગેરે શાખાઓ વ્યવહાર માટે ખુલી મૂકાઈ હતી. ઈ. સ. ૧૮૬૧ માં ભરૂચથી વડેદરા, સચીનથી સુરત, નવસારીથી સુરત અને વલસાડથી નવસારી વગેરે શાખાઓ તૈયાર થઈ હતી. ઇ. સ. ૧૮૬૨-૬૩માં વડોદરાથી અમદાવાદ સુધી રે આવી ગઈ. ઈ. સ. ૧૮૭૧ માં અમદાવાદથી વીરમગામ સુધી રે 3 Sir H. Freeland, " Road Competition, "-Times f India, Aug. 24, 1988. p. 5. K. T. Shah, Trade, Tariffs & Transport, pp. 0 01. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252