Book Title: Gujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Author(s): Bhogilal Girdharlal Mehta
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 210
________________ અર્વાચીન સમયના વ્યવહાર અમદાવાદ પ્રાંતીજ રેલ્વે મધ્યમ પાટાની આ રેલ્વે અમદાવાદ પ્રાંતીજ રેલ્વે કંપનીની છે, પણ તેના વહીવટ ખી. બી. એન્ડ સી. આઈ. રેલ્વે કરે છે. ઈ. સ. ૧૮૯૭માં આ રેલ્વે બંધાઈ ત્યારે તેની લંબાઈ ૫૪ ૫૯ માઈલ હતી. ઇ. સ. ૧૯૩૦-૩૧ સુધી એ રેલ્વેની લખાઈ ૮૮-૭૩ માઈલ હતી અને તે જ વર્ષમાં રેલ્વેને એકંદર આવક આશરે રૂા. ૮ લાખ મળેલી.૧ ઈ. સ. ૧૯૭૧-૩ર માં આ રેલ્વે મારફતે આશરે ૧૫૧ હજાર ટન માલની અવરજવર થયેલી અને તેમાંથી રેલ્વેને આશરે રૂા. ૩ લાખની આવક થયેલી. આ માલમાંથી આશરે ૭૭ હજાર ટન આયાત થયેલા અને ૭૪ હજાર ટન નિકાશ થયેલા. આ રેલ્વે મારફતે અનાજ, આરસપહાણુ, ગેાળખાંડ, તેલીબીયાં, રૂ અને તૈયાર કાપડ, વગેરે માલની અવરજવર વધારે થાય છે. આ રેલ્વે હીમતનગર સુધી જાય છે અને ત્યાંથી ખેડબ્રહ્મા સુધી પહોંચે છે. મહીકાંઠા એજન્સીની સરહદ પર વ્યવહારને તે મુખ્ય માગ છે. રાજપીપળા રાજ્યની રેલ્વે [ ૧૯૯ આ સાંકડા પાટાની રેલ્વે રેવાકાંઠા એજન્સીમાં વ્યાપારના મુખ્ય રસ્તા છે. આ રેલ્વે બી. બી. એન્ડ સી. આઇ રેલ્વેના અંકલેશ્વર સ્ટેશનથી રાજપીપળા સુધી દાડે છે. ઇ. સ. ૧૮૯૭માં 'કલેશ્વરથી રાજપારડી સુધી શાખા થયેલી. ૧૯૩૦-૩૧ સુધીમાં આ રેલ્વેની લખાઈ ૩૯.૨૪ માઈલ હતી અને એકંદર આવક આશરે રૂ।. ૨ લાખ થયેલી.૩ ઇ. સ. ૧૯૩૧-૩૨ માં આ રેલ્વે મારફતે ૩૫ હજાર ટન માલ અવરજવર થયેલા અને તેમાંથી આવક આશરે રૂ।. ૧ લાખ થયેલી. આમાંથી આશરે ૧૪ હજાર ટન માલ આયાત માટે ગયેલા અને ૨૧ હજાર ટન નિકાશ થયેલા.૪ આ રેલ્વે મારફતે પણ અનાજ, તેલીબીયાં અને રૂ વધારે પ્રમાણમાં અવરજવર થાય છે. આ રેલ્વે રાજપીપળા દરબારની છે, પણ બી. બી. એન્ડ સી. આઇ રેલ્વે વહીવટ કરે છે. ૧-૨ History of Indian Railways (1982-83) p. 48–49. · p. 63. " www.umaragyanbhandar.com ૩-૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252