________________
ગ્રંથ અને ગ્રંથકાર
જેને આપણે સામુદાયિક કેળવણુ કહીએ છીએ તેને આરંભ બહુજ અર્વાચીન છે અને તે માટે સરકાર તરફથી ચાલુ પ્રયત્ન થવા છતાં વસ્તીના છે ટકાને પૂરું અક્ષરજ્ઞાન હજી મળેલું નથી. શરૂઆતનાં પાઠ્ય પુસ્તકો અંગ્રેજી પુસ્તકોના અનુવાદ જ હતા અને તે અનુવાદ સીધા ઈગ્રેજીમાંથી નહિ પણ મરાઠી અનુવાદ પરથી થતા હતા. તે સમયે ગુજરાતી લખાણ પર મરાઠીની છાયા વિશેષ હતી; અને સ્વ. નારાયણ હેમચંદ્ર બંગાળીમાંથી અનુવાદ કરવા માંડવ્યા પછી તે ભાષાસાહિત્યને પરિચય આપણે અહિં દિનપ્રતિદિન વધતે. ચાલ્યો આવે છે, અને તેના પરિણામે કેટલીક સુંદર બંગાળી કૃતિઓનાં ભાષાંતરે આપણને પ્રાપ્ત થયેલાં છે, અને તે લોકપ્રિય નિવડયાં છે. હિન્દી ગ્રંથેનાં ભાષાંતર પણ ગુજરાતીમાં શેડાંક થયેલાં છે, પણ તેની અસર આપણું સાહિત્ય પર ઝાઝી થયેલી જણાતી નથી; જો કે ઈગ્રેજી અમલ પૂર્વ હિંદી-વજનો ઉપયોગ આપણે અહિં વિશેષ હતો અને તે ગ્રંથે જ ઉંચ વર્ગમાં સામાન્ય રીતે વંચાતા અને સંગ્રહાતા હતા; અને બ્રિટિશ અમલ સ્થપાયા પછી, તેની રાજનીતિના અને વહીવટના પરિણામે અને બીજા વિધવિધ કારણોને લઈને પાશ્ચાત્ય સાહિત્ય, ઈતિહાસ, વિચાર અને સંસ્કૃતિએ આપણું એકલા સાહિત્ય પરજ નહિ પણ સમગ્ર સમાજજીવન પર એટલી બધી ઉંડી અને પ્રબળ અસર કરેલી છે કે તેમાંથી આ સમયમાં ભાગ્યે જ પોતાના વિચારમાં કે વર્તનમાં કઈ વ્યક્તિ મુક્ત રહી હશે? કહેવાનું તાત્પર્ય એ છે કે આપણું અર્વાચીન સાહિત્ય ઘડાયું છે તેમાં અંગ્રેજી ભાષા અને સાહિત્યની છાયા અને અસર સર્વત્ર અને મોટા પ્રમાણમાં અચૂક નજરે પડશે.
પરંતુ આ પ્રશ્નમાં વિચારવાને મુદ્દે માત્ર એ રહે છે કે સાહિત્યમાં ભાષાંતરનું સ્થાન અને પ્રમાણુ શું અને કેવું હોવું જોઈએ. તે પુસ્તકે એટલાં બધાં ન જોઈએ કે તે સ્વતંત્ર અને મૌલિક કૃતિઓને તેની સંખ્યાના ભારથી દાબી દે; તે એવાં નિર્માલ્ય, નીરસ અને તદ્દન સામાન્ય કોટિનાં ન હોય કે જે અરૂચિકર થઈ પડે; જેમાં સાહિત્યનું ઉંચું રણ કે કોઈ ઉત્તમ આદર્શ ન હોય; જે સાહિત્યને ઉન્નત કે સમૃદ્ધ ન કરતું હોય.
ઉદાહરણ તરીકે આપણે અંગ્રેજી ભાષાસાહિત્યનું દષ્ટાંત લઈશું તે જણાશે કે તેને જ્યાં જ્યાંથી શબ્દો આવશ્યક અને ઉપયોગી લાગ્યા ત્યાં ત્યાંથી તે શબ્દો તેમાં વપરાશમાં લેવાયા છે અને દુનિયાભરના સાહિત્યમાંનું