________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
આવી આંકડાની ગણત્રી કરવામાં ઇંગ્લાંડાદિ પાશ્ચાત્ય દેશામાં જેવી સુગમતા અને સગવડ રહેલાં છે તેવી વ્યવસ્થા આપણે અહિં નથી. ત્યાં પુસ્તકનું પ્રકાશન અને વેચાણ કા, લેખક જાતે કરતા નથી; પણ સામાન્ય રીતે કાઇ પ્રકાશઃ વ્યકિતને વા મંડળીને અને પુસ્તક વેચનારને તે સોંપી દેવાય છે; અને એ બધા પ્રકાશકનું એક સંગઠિત મંડળ હોય છે, તેની પાસેથી વર્ષ દરમિયાન પ્રસિદ્ધ થયેલાં પુસ્તકાની સંપૂર્ણ અને વર્ગીકૃત યાદી જોઇએ ત્યારે મેળવી શકાય છે. વળી કેટલીક પ્રકાશન સંસ્થાએ અને પુસ્તક વેચનારાએ તે નવાં પુસ્તકાની પોતે જૂદી માસિક યાદીએ પ્રકટ કરે છે; તેથી વાર્ષિક પ્રકાશનના આંકડા મેળવતાં ત્યાં ઝાઝી તકલીફ પડતી નથી.
પ્રકાશક મંડળનું સગઢન
મ્યુઝિયમ
બીજી સવા ત્યાં એ છે કે કાયદાની રૂઇએ બ્રિટિશ મ્યુઝિયમને પ્રત્યેક પ્રકાશનની એક એક પ્રત ભેટ મળે છે, જેના સંગ્રહ થવાનું અને સાચવવાનું કાર્ય તેના પર ક્રૂરજીઆત નાંખેલું છે, જ્યારે બીજી પાંચેક સંસ્થાઓને જે પ્રકાશનની પ્રત તેના તરફથી માંગવામાં આવે તે જ અપાય છે. આથી મેાટે લાભ એ થાય છે કે તે પુસ્તકા એક સ્થળે જોવા તપાસવાની સહજ તક મળે છે, તેમજ તે સંગ્રહ કાયમ સચવાઈ રહે છે.
થિતિ
પણ આપણે અહિંની પરિસ્થિતિ જૂદી છે. નામદાર મુંબાઇ સરકાર તરફથી સન ૧૯૮૨ કે ૮૬-૮૭ પછી નિયમિત રીતે અત્યારની પરિ- દર ત્રણ માસે ઈલાકામાં પ્રસિદ્ધ થતાં પુસ્તકેાની એક વર્ગીકૃત યાદી સરકારી ગેઝીટમાં છપાય છે; પણ તેમાં આગળ જણાવ્યું તેમ દેશી રાજ્યેાની હદમાં છપાતા ગ્રંથાની નોંધ થતી નથી; અને બીજું છાપખાનાના કાયદાથી જે પુસ્તકા સરકારને ભરવામાં આવે તેના વ્યવસ્થિત અને સંપૂર્ણ સંગ્રહ પણ કાઈ એકસ્થળે સચવાતા હાય એમ જાણવામાં નથી; અને વર્ષ પૂરૂં થતાં એ પ્રકાશનનું વિહંગાવલેાકન ઉપરી અધિકારી–મહુધા એકાદ યુરે।પિયન ગૃહસ્થ,-૩૦૦ શબ્દોની અંદર મર્યાદિત, અહારથી લખાઈ આવેલા, જૂદા જૂદા ગૃહસ્થાના વાન્તિક પરથી કાઢે છે, એનું મૂલ્ય કેટલું આંકવું એના વિચાર કરવાનું અમે વાચક પર છેાડીએ છીએ,
૩