Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 57
________________ ૪૦ ધરતી માતા ઉદ્યમ પરિશ્રમ ચાલતું રહેવા છતાં, અધ્યાત્મવિદ્યાને - ધર્મસાધનાને – જ સર્વોપરી ગણવામાં આવતી, અને એ કારણે બીજી ભૌતિક વિદ્યા ને છૂટો દોર નહોતે મળતો: જીવનનો અંતીમ હેતુ જે મનાતે, તેને સુસંગત મર્યાદામાં જ તેને રહેવું પડતું, પરંતુ યંત્રયુગની નજીક આપણે જેમ જેમ આવતા જઈએ છીએ, તેમ તેમ આધ્યાત્મિક વિદ્યાને ગૌણ કરીને, અરે, તખ્તા ઉપરથી છેક જ ખસેડી મૂકીને, ભૌતિક વિદ્યાએ જ સર્વોપરી બનતી જાય છે. અને યંત્રયુગનું અધિષ્ઠાન થયા પછી તે જીવનના અંતિમ હેતુને લગતી પ્રવૃત્તિ હાસ્યાસ્પદ જ મનાતી જાય છે. આ યંત્રયુગને વિજ્ઞાની એ જુદી જ જાતને જંતુ છે. તે સત્યને શોધક છે ખરો, પણ મુખ્યત્વે તેને નોકરી આપનાર – પૈસા આપનાર – માલિકને જોઈતા સત્યને જ; – જેથી એ સત્ય જાણી, તેને ઉપયોગ કરી, તેનો માલિક વધુ સત્તાવાન, વધુ ધનવાન કે વધુ ઘાતક બની શકે. જીવનના અંતિમ હેતુની શોધને તેના ક્ષેત્રમાં સ્થાન નથી – જડ તત્ત્વ સિવાય બીજા કોઈ તત્ત્વને પ્રમાણવું એ તેની આચારસંહિતામાં જ નથી. વિજ્ઞાનની કરુણતા એ છે કે, તે હંમેશાં વસ્તુને સમગ્રપણે જોવાને બદલે, તેની ટેસ્ટ-ટયૂબમાં કે સૂક્ષ્મદર્શક કાચની મર્યાદામાં આવે તેટલા ભાગને જ તપાસી શકે છે. ધરતી એ વિવિધ પ્રકારના જીવનથી ધબકતો સમન્વિત જીવનવ્યાપાર છે; અને એ રીતે સમગ્રપણે – સમન્વિતપણે જ – તેને વિચાર ઘટે. એ વસ્તુ વિજ્ઞાનને માન્ય ન હોઈ શકે. કારણ, તેનાં મર્યાદિત સાધને પેલા સમગને, તથા તેના સમન્વિત જીવન-પાપારને પોતાના વ્યાપમાં લઈ શકતાં નથી. એટલે વિજ્ઞાની તો ધરતી ઉપર ઊગતા છોડને બાળીને તેની રાખનું પૃથક્કરણ કરે, અને તેમાં જે ખનિજ દ્રવ્યો તેના જોવા – જાણવામાં આવે, તે ખનિજ દ્રવ્યો ધરતીમાં બહારથી વધુ પ્રમાણમાં નાખવામાં

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130