Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 99
________________ જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય ગયાં બે પ્રકરણમાં જમીનની ફળદ્રુપતા અને તેમાં થતા પાક અને તેને ચરનાર ઢોરના આરોગ્ય વરઘેનો સંબંધ આપણે જોઈ આવ્યા. પરંતુ જમીનની ફળદ્રુપતા અને માનવ આયોગ્ય વચ્ચેનો સંબંધ એવી સીધી રીતે આપણે ભાગ્યે બતાવી શકીએ. કારણ કે, માણસ જમીનના કઠણ પડ ઉપર થતો પાક જ ખાઈને જીવે છે એવું નથી. તે દરિયાની, નદીઓની તથા જંગલોની પેદાશ ખાઈને પણ જીવે છે, જ્યાં કૃત્રિામ ખાતરોની કશી અસર ખાસ પહોંચતી નથી.* ઉપરાંત, માણસોને કંઈ ઢોરની પેઠે અખતરો કરવા ખાતર લાંબો વખત એક જગાએ એકઠાં રાખી શકાય નહિ વળી માણસે – અને આધુનિક સુધરેલા માણસે ખાસ કરીને - પાક જેવો ખેતરમાંથી આવે છે તેવો જ ઉપયોગમાં લેતા નથી. જેમ કે, ઘઉં – ડાંગર વગેરે ધાન્યોનાં ઉપરનાં પોષક બધાં પડ કાઢી નાખી, સફેદ રોટી, તથા પૉલિશ કરેલા ચોખા તેઓ ખાય છે. વળી દૂધ – શાક – ફળ વગેરે તાજાં જ ખાય છે એમ નથી, હવે તે પાશ્ચરાઈઝ કરેલું દૂધ, તથા ફ્રીઝમાં નાખેલાં કે પ્રિઝરવેટિવોમાં નાખીને પૅક કરેલાં શાક-ફળ મહિનાઓના મહિનાઓ પછી ઉપયોગમાં લે છે. તે બધાની * પરંતુ હવે ડી. ડી. ટી. વગેરે જંતુનાશકની અસર દરિયા કિનારે તથા નદીમાં પણ પહોંચે છે અને એ માછલાં વગેરે પેદાશ ખાઈને ડી. ડી. ટી. માનવ શરીરમાં પાછું આવી સંધરાય છે, તથા તેનો માટે ખતરો અમેરિકા-ભારત વગેરે દેશના માનવા માટે ઊભે થયો છે, એ માહિતી તાજેતરમાં બહાર આવી છે. – સંપા

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130