Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 77
________________ ધરતી માતા સદંતર નાશ પામી જાય છે, એટલું જ નહિ પણ જે ગુંદરિયા રજકણ જમીનના સંયુક્ત રજકણોને બાંધતા હોય છે, તે નાશ પામે છે. પરિણામે ઉપર જણાવ્યા પ્રમાણે જમીન ચોટીને સખત બની જાય છે અને તેની છિદ્રાળુતા નાશ પામે છે. ગંગાનદીનાં મેદાનોની જમીન ઉપર ખેતી કરનારા જૂના અનુભવી ખેડૂત તો સૈકાના અનુભવે એવી રીતે ખેતી કરે છે, જેથી તે જમીનનું એછું ધૂમસ છેક જ ખૂટી જતું નથી. પરંતુ એ લોકોને પણ હવે પશ્ચિમના વૈજ્ઞાનિકો પાકના ઉત્પાદનને વધારવાની કહેવાતી પ્રક્રિયાઓ શીખવવા જાય છે. એનાથી જમીન ખારવાળી થવાનાં કારણોમાં નીચે જણાવેલા ત્રીજા ખંડમાં બતાવ્યા મુજબ બરબાદી સરજાય છે. ૩. રાસાયણિક ખાતરે, ખાસ કરીને સલ્ફર મેનિયાને ઉપયોગ જ્યાં જમીનમાં ધૂમસને અનામત જથ્થો વધુ હોય છે, ત્યાં પણ આ ખાતરને ઉપયોગ શબ્દોમાં વર્ણવી ન શકાય તેવું નુકસાન કરે છે. એ ખાતરમાંથી સહેલાઈથી આત્મસાત કરી શકાય તેવા રૂપમાં નાઇટ્રોજન મળી શકતું હોવાથી ફૂગ અને બીજાં એવાં જંતુઓ જમીનમાં પેદા થાય છે; તેઓ જમીનમાંના સેન્દ્રિય પદાર્થોની શોધમાં નીકળી, પ્રથમ તે ધ્રુમસના અનામત જથાને ખાઈ નાખે છે, અને પછી રજકણોને ચોટાડતા સેન્દ્રિય ગુંદરિયા તવને ખાવા લાગે છે. આ ગુંદર એ હોય છે, જે સામાન્ય રીતે ખેડાણ જમીનમાં ચાલતી પ્રક્રિયાઓથી અસર પામતા નથીપરંતુ કૃત્રિમ – રાસાયણિક ખાતરોથી ઉત્તેજિત થયેલ એ જ પ્રક્રિયાને સામનો કરી શકતો નથી. આમ ખાર-જમીનની શરૂઆત જમીનની છિદ્રાળુતા બંધ થઈ કિસજનને પુરવઠો જમીનમાં પહોંચતે અટકવા વડે થાય છે. પછી આંતર જમીનમાંને ઓકિસજન ખાનારાં જંતુઓ અને ફૂગે આગળ આવે છે. એમ ઑકિસજનનો પુરવઠો મળવાનું સહેલામાં સહેલું નાઇટ્રેટ રૂપી જે મૂળ તે તદ્દન ખૂટી જાય છે. પછી તેંદ્રિય તત્વોમાં આ

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130