Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 42
________________ કે આપણે પણ તેમના જેવા દ્રઢવ્રતવાળા થઇએ, માટે આપણા આચારવિચારની શુદ્ધિ કરવા અર્થે ઉત્તમ અને શ્લાઘનીય આચારવિચાર ધરાવનાર મહાપુરૂષોની હમેશ આપણે પ્રશંસા કરવી એ માર્ગાનુસારીનો બીજો ગુણ છે અને તે પ્રાપ્ત કરવા આપણે પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ. ભશભરમૈ: 3જગન: સાર્ધ શ્રતોદ્વાહ એ પ્રકારનું ત્રીજું વિશેષણ માર્ગાનુસારીને આપેલું છે. ગૃહસ્થધર્મમાં પોતાના સગા સંબંધી તરફની કોઇપણ પ્રકારની હરકત આવે નહિ અને રૂડી રીતે તે પાળી શકાય તેટલા માટે આ ગુણ અવશ્યનો છે. સ્ત્રી“તારનું કુળ અને શીલ સરખા દરજ્જાનાં હોય તો તેઓનો બનાવ સારી રીતે રહે છે અને તેમને પોતાને તેમજ તેમના વડીલોને આ બન્ને વિષમ હોવાથી જે વિપત્તિઓ સહન કરવી પડે છે તે સહન કરવી પડતી નથી. સ્વગોત્રીયની સાથે વિવાહ કરવાથી પણ અનેક પ્રકારનાં દૂષણો શાસ્ત્રમાં દર્શાવેલાં છે અને સઘળી આર્યપ્રજા એવા પ્રકારનો સંબંધ કરવો અયોગ્ય ગણે છે. માટે આપણો ગૃહસ્થધર્મ નિવિદને પાળી શકીએ તેટલા માટે સરખાં કુળ અને શીખવાળા અન્યગોત્રીયની સાથે વિવાહિત થવાનો ગુણ આપણે પ્રાપ્ત કરવો જોઇએ. આ ગુણ પ્રાપ્ત કરવા માટે આધુનિક કાળની વિવાહપદ્વતિ જોતાં પોતાના પુત્રપુત્રીના હિતાર્થે માબાપને વિશેષ ધ્યાન આપવાનું છે. કન્યાવિક્રય કરનારાઓ અને કન્યા વિક્રીત લાવનારાઓ વિવાહિત જોડાને આ ગુણથી હંમેશને માટે મોટે ભાગે દૂર રાખે છે અને તેને પરિણામે પોતાને માટે અને વિવાહિત જોડાને માટે હંમેશાં દુ:ખ માથે વ્હોરે છે. ગૃહસ્થધર્મની અભિલાષા ધારણ કરનાર દરેક સને આ ગુણ પ્રાપ્ત કરવા ઉદ્યમવંત થવું જોઇએ. ચોથું વિશેષણ પાપભીરુ એવું આપેલું છે. જે કર્મ પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે અનેક પ્રકારના અપાયનું કારણ થાય છે તે પાપકર્મ કહેવાય છે, તે થકી હંમેશા ભીરૂ એટલે ડરતા રહેવું એ ખરેખર અવશ્યનું છે. આપણા ચિત્તની વૃત્તિ એ પ્રકારની સખવાથી ઉત્તરોત્તર આપણે વિશેષ ગુણ પ્રાપ્ત કરવાને સમર્થ થઇએ છીએ. ગૃહસ્થ હોવાથી અનેક પ્રસંગો એવા આવી પડે છે કે તે વેળાએ અશુદ્ધ આચરણ કર્યા વગર આપણો છુટકારો થતો નથી. પરંતુ જો આપણી વૃત્તિ તેવા આચરણોથી હંમેશા ડરતા રહેવાની હોય અને મનમાં એવા ભાવ રહેતા હોય કે કયારેને આવા વર્તનથી હું વેગળો રહેવાને સમર્થ થાઉ તો તે આચરણોથી કર્મબંધ મજબૂત થઇ શકશે નહીં. વંદિતા સૂત્રમાં સ્પષ્ટ જણાવેલું છે કે सम्मद्दिट्टी जीवो, जइवि ह पाचं समायरइ किंचि । अप्पोसि होइ वंधो, जेण न निदधसं कुणइ ।। तं पि हु सपडिक्कमणं, सप्परिआवं सउत्तरगुणं च । खिप्पं उवसामे, वाद्दिव्व ससिखिओ विज्जो ।।। “સમ્યકદ્રષ્ટિ જીવ જોકે કિંચિત્ પાપ કરે છે તો પણ તેને બંધ થોડો થાય છે કારણ કે તેના પરિણામ નિર્દય હોતા નથી. તે અલ્પ કર્મબંધ પણ પ્રતિક્રમણ ક્રિયાથી, પશ્ચાત્તાપ કરવાથી અને ઉત્તર ગુણ સહિત થઇને એટલે ગુરૂ પાસે પ્રાયશ્ચિત લઇ તે પૂર્ણ કરવાથી, જેમ સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને શાંત કરે છે તે મુજબ તે પુરૂષ નિશ્ચયપણે જલદીથી શાન્ત પમાડે છે.” માટે હંમેશા પાપથી ડરતા સ્વભાવવાળો ગૃહસ્થ ચીકણો કર્મબંધ જે કે ભોગવવાથીજ ઉપશાન્ત થાય છે તેવો કદી બાંધતોજ નથી. પરંતુ તેનો કર્મબંધ ઘણોજ અલ્પ હોય છે અને તે અમુક ક્રિયાથી નાશ કરી શકાય છે. આ સ્વભાવ હંમેશ કાયમ રાખવો એ દરેક ધર્મની વાંછા રાખનાર મનુષ્યને જરૂરનું છે. પાંચમ વિશેષણ પ્રસિદ્ધશાવારંસમાપન એવું આપવામાં આવ્યું છે. અન્ય જનો આપણી Page 42 of 234

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234