Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 157
________________ જેટલો ધર્મ નહિ થાય તો હૈયામાં દુ:ખ થશે. ખોટા હોવા છતાં પણ સારા કહેવાઇએ એવી જ ઇચ્છા તે દંભ છે. ભાવના ન હોય તો પણ ધર્મ કરવાની મના નથી, પરંતુ પોતાના દોષન ઢાંક્વા માટે દંભથી ધર્મ કરવાની મના છે. દેખાવ માટેનો ધર્મ એ ધર્મ નથી પણ દંભ છે. વર્તનમાં ખામી રહેવી, એ અસંભવિત નથી. ખામી હોય, પણ દંભ નહિ જોઇએ. ગુણી તરીકે પૂજાવા માટે, ગુણી તરીકેનો સત્કાર પામવા માટે, ગુણીજનોમાં ખપવા માટે, પોતાના દોષોને ઢાંકવા અને અછતા ગુણોને કહેવા, એ ભયંકર દુર્ગુણ છે. દંભ દુસ્યજ છે એમ લાગે છે? અનુભવ કરવા માંડો તો લાગે; ઉત્તમ ક્રિયા સરળતાપૂર્વક, આડંબર વિના, સારૂં કહેવડાવવાની વૃત્તિ વિના કરવા માંડો અને તે પછી આત્માને પકડવા માંડો. દંભને કાઢ્યા વિના મોક્ષે વાવાનું નથી, કારણ કે-દંભથી ધર્મ દૂષિત થાય છે. વિનયરત્નનો દંભ : વિનયરત્નના દંભથી આચાર્ય છેતરાયા. એવો દંભી કે- સૌ કરતાં વધુ વિનયી લાગે. બાર બાર વર્ષ સુધી સંયમની ક્રિયાઓ એવી રીતિએ કરી કે-ગુરૂને અતિ વિશ્વાસ આવ્યો એના પરિણામે, વિનયરને રાજાને હણ્યા અને એથી આચાર્યને સ્વયં મરવું પડ્યું. આ સ્થળે કહેવાશે કે-એટલો વખત સંયમમાં તો રહો ને ? નહિ જ, માટે સમજો કે-દંભ સ્વ અને પર બન્નેને હણનારો છે. આજ ઘણાઓ એવો દંભ ધર્મમાં કરે છે કે-ન પૂછો વાત. અહીં કંઇ બોલે, બહાર જઇને કંઇ બોલે. સાધુ પાસે જાય તો વન્દન કરે અને પછી બહાર ગાળ પણ દે ! આત્મકલ્યાણના અભિલાષી આત્માઓએ, એ દંભને તજવામાં રા. પણ પ્રમાદી નહિ બનવું જોઇએ. સુકૃતને દૂષિત કરનારો આ છઠ્ઠો દોષ છે. બીજાના દોષ પચાવવા : અનન્ત ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે-ધર્મ વિનાનું જીવન, એ વાસ્તવિક જીવન નથી. જીવનની કિમંત ધર્મથી છે. જીવનમાં ધર્મની જરૂર અનિવાર્ય છે. હવે જ્યારે જીવનમાં ધર્મ એ જરૂરી વસ્તુ છે, એના વિના ચાલે તેમ છે નહિ, ધર્મ વિનાના જીવનની કિમંત નથી, તો ધર્મ જીવનમાં આવે ક્યારે? આત્મામાં અમુક પ્રકારની દશા પ્રગટે તો ! વાસ્તવિક રીતિએ ધર્મ જીવનમાં આવે, એ માટે આત્મામાં અમુક પ્રકારની લાયકાત આવવી, એ પણ આવશ્યક છે. ધર્મ, એ એવી મામુલી વસ્તુ નથી કે-એકદમ, વગર યોગ્યતાએ આવી જાય. આરોગ્ય લાવવા માટે રોગ જવો જોઇએ ને ? રોગ જાય ક્યારે ? યોગ્ય ઔષધિનું યોગ્ય રીતિએ સેવન કરાય તો ! ઔષધિ પણ કામ કયારે કરે ? જરૂરી મળ નીકળ્યા બાદ ! પહેલાં મળ કાઢવાની મહેનત થાય. મળ નીકળે, પટ સાફ થાય, યોગ્ય ઔષધિનું યોગ્ય રીતિએ સેવન કરાય અને એથી રોગ જાય તો આરોગ્ય પ્રાપ્ત થાય : તેમ ધર્મ એ પણ આત્માનું આરોગ્ય પ્રાપ્ત કરાવનારૂં અનન્તજ્ઞાનિઓએ દર્શાવેલું અનુપમ કોટિનું ઔષધ છે. એ ધર્મ રૂપ ઔષધ કામ કયારે કરે? આત્માને વળગેલો અમૂક મળ દૂર થાય ત્યારે ! જ્યાં સુધી આત્મામાં મળ વધુ પ્રમાણમાં બેઠો હોય છે, ત્યાં સુધી તે આત્માને માટે ધર્મ રૂપ ઔષધિ જોઇએ તેવી કાગત બનતી નથી. ધર્મને પામવાની લાયકાત આવવી, એનો જ અર્થ એ છે કે-અમૂક પ્રકારનો મળ દૂર થવો : આથી સ્પષ્ટ છે કે-જેણે ધર્મ રૂપ ઔષધિનું સેવન કરવા દ્વારા આત્માની સ્વાભાવિક નિર્મળ દશાને પ્રાપ્ત કરવી હોય, તેણે ધર્મને પામવાની યોગ્યતા પ્રાપ્ત કરવામાં બેદરકાર બનવું ન જોઇએ. ધર્મને પામવાની લાયકાતને અંગે, પહેલાં આપણે ઘણી બાબતો વિચારી ગયા છીએ. જેનામાં ધર્મને પામવાની લાયકાત આવી છે, તેવો આત્મા, સામાન્ય રીતિએ પોતાના દોષોને જોવાની અને જાણવાની ઉપેક્ષાવાળો ન હોય : એટલું જ નહિ પણ પોતાના દોષને યથાશય સુધારવાની વૃત્તિવાળો પણ ન હોય એમ નહિ. એવો આત્મા પારકા દોષોને ઇરાદાપૂર્વક Page 157 of 234

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234