Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 209
________________ ઉત્કૃષ્ટ કોટિની એ પ્રાર્થના છે. અજ્ઞાન-અંધકાર અને મૃત્યુમાંથી જ્ઞાન, પ્રકાશ અને જીવન તરફ જ્વાની ઊંડી અભીપ્સા કોને ના હોય ? થોડાં વર્ષો અગાઉ મુંબઇમાં બાંદ્રા પાસેના દરિયાક્વિારે આવેલા અદભૂત પ્રાર્થનાલયમાં જ્યલિયાના નામના એક સાધિકાબહેનને મળવાની તક મળી હતી. એમણે બાઇબલમાં આવતી પ્રાર્તનાઓ વિશે થોડા જ સમયમાં એટલી માહિતી આપી કે અમે લોકો ચક્તિ થઇ ગયેલાં. કુરાનમાં પણ સુંદર પ્રાર્થનાઓ મળી આવે છે. અવેસ્તામાં પણ વેદોની જેમ સુંદર પ્રાર્થનાના ભંડાર છે. બહાઇ ધર્મની પ્રાર્થનાઓ જોવા જેવી છે. અમેરિકાના મૂળ રહેવાસી રેડ ઇન્ડિયનોની પ્રાર્થનાઓ પણ અનોખી હોય છે. વિશ્વનું એક ધર્મશાસ્ત્ર એવું નથી, જેમાં પ્રાર્થના જોવા ના મળે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે પ્રાર્થના એક સનાતન તત્ત્વ છે. આનું એક કારણ છે. ધર્મનું અસ્તિત્વ છે માનવીના પરમ ઉત્થાન માટે. પ્રાર્થના એમાં ઉપયોગી થઇ શકે છે. પછી એનો ઉલ્લેખ ના હોય એમ બને જ શી રીતે ? આત્માનો અવાજ : પરમહંસ યોગાનંદ વ્હેતા : પ્રાર્થના વિશ્વનું મહત્તમ બળ છે. ગતના તમામ ધર્મોએ આ બળને પુરસ્કાર્યું છે. આના માનવ માટે પણ એ મોટામાં મોટું બળ બની શકે છે. વિખ્યાત કવિ ટેનીસન વ્હેતા : આ જ્ગત કલ્પી શકે છે એના કરતાં ઘણી ઘણી વધારે વસ્તુઓ પ્રાર્થના દ્વારા શક્ય બને છે. આનંદમયી માના મતે પ્રાર્થના જીવનનું પરમાદ્વારક બળ છે. એનો ઉપયોગ કરવામાં માણસનું લ્યાણ છે. આટલા બધા માણસો ખોટા ન હોઇ શકે. અહીં તો આપણે ગણતરીનાં જ નામનો ઉલ્લેખ કરીએ છીએ. પણ આ સૂચિમાં હજારો નહીં, લાખો નામ ઉમેરી શકાય તેમ છે. જીવનલક્ષી સર્જનો દ્વારા અસંખ્ય લોકોનું જીવન પરિવર્તન કરનાર ડૉ ડેલ કાર્નેગી પ્રાર્થનાના બરા આગ્રહી હતી. એક સહાયક એમને પૂછે : અમારા માટે પ્રાર્થના કરવાનું શા માટે ફરજ્યિાત છે ? એટલા માટે કે તમને પ્રાર્થનાની શક્તિનો ખ્યાલ આવે. પ્રાર્થના સફળ થાય ખરી ? કેમ ના થાય ? સાચા હૃદયની પ્રાર્થના સફળ થાય જ થાય. અનેક જ્ગનો ને મારો એવો અનભવ છે કે પ્રભુ આત્માનો અવાજ સાંભળે છે જ. તમારે એ અનુભવ મેળવવો હોય તો એ પ્રાર્થનાથી જ થઇ શકશે. આ તો સીધી વાત છે. પ્રાર્થનાનું બળ સાચું છે કે નહીં એ માપવા માટે પણ એનો પ્રયોગ કરવો પડશે. ખાલી વાંચીને બેસી રહો નહીં પાલવે. પ્રભુ પધાર્યા : કુરુક્ષેત્રનું મેદાન, અનેક પ્રશ્નોથી પીડાતો અર્જુન સંધર્ષના સાગરમાં ગોથાં ખાઇ રહ્યો છે ભગવાનનીસામે એ પાર વગરના પ્રશ્નો મૂકે છે આશંકાઓ ઠાલવે છે. પ્રભુ ! મને ટૂંકમાં બતાવો કે મારે શું કરવું ? પ્રભુનો આદેશ છે કે મારામાં મનવાળો થા. આ આદેશ બહુ સૂચક છે. મન સંસારવ્યવહારની ચિંતાઓમાં જ ભટક્યા કરતું હોય ત્યારે પરમ શક્તિ સાથે સંપર્ક સાધવાનું બહુ મુશ્કેલ બની જાય છે. Page 209 of 234

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234