Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
નગરને બાહ્ય શત્રુઓથી રક્ષણ તો મળે, પણ કુરાજાનું રાજ્ય હોય એટલે આન્તરિક ઉપદ્રવો આવે એટલે પરિપૂર્ણ રક્ષણ મળ્યું એમ કહેવાય નહિ, તેમ તેવા પ્રકારના સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી કષાયાદિના નિરોધ રૂપ દોષવિગમ ન જ થાય એમ નહિ, કષાયાદિના નિરોધ રૂપ દોષવિગમ જરૂર થાય, પણ તે દોષવિગમ આત્યન્તિક પ્રકારનો નથી થતો. એ અનુષ્ઠાનમાં ગુણની ગુરૂતાને અને દોષની લઘુતાને વિષય કરનારી વાસ્તવિક કોટિની ચિંતા હોઇ શક્તી નથી. અનુબન્ધશુદ્ધ નહિ એવા સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં બાહ્ય દોષ નહિ હોવા છતાં પણ તેને આચરનારો આત્મા વાસ્તવિક કોટિના તત્ત્વજ્ઞાનથી વિક્લ હોવાને કારણે, એ અનુષ્ઠાન શ્રેષ્ઠ કોટિની ગુણવૃદ્વિનૈ પમાડી શકતું નથી. અજ્ઞાનદોષ એમાં ઉપઘાત કરનાર છે. સારૂં પણ અનુષ્ઠાન અજ્ઞાનને અને અજ્ઞાનની નિશ્રામાં રહેનારને તેવું ઉપકારક નિવડી શક્યું નથી. અનુબન્ધશુદ્ધ અનુષ્ઠાન :
આ બે અનુષ્ઠાનોના વિવરણ ઉપરથી અને ખાસ કરીને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનના વિવરણ ઉપરથી અનુબન્ધશુદ્ધ અનુષ્ઠાન કેવા પ્રકારનું હોઇ શકે, એનો તમને આછો ખ્યાલ આવી જ ગયો હશે. જે અનુષ્ઠાનના યોગે ઉત્તરોત્તર દોષવિગમ થયા જ કરે અને એથી ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ પણ થયા કરે, પણ ક્યારેય જેનાથી દોષવૃદ્ધિ અને ગુણહાનિ થવા પામે નહિ, એવા અનુષ્ઠાનને અનુબન્ધશુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા પ્રકારનું, મોક્ષના જ આશયવાળું અને જીવાજીવાદિ તત્વોના સંવેદનપૂર્વ યમ-નિયમાદિનું જે આચરણ, તેને અનુબન્ધશુધ્ધ અનુષ્ઠાન કહેવાય છે. જીવાજીવાદિ તત્વોના સમ્યજ્ઞાનના અભાવમાં આવું અનુષ્ઠાન સંભવતું નથી અને અથી શાસ્ત્રકાર પરમષિઓ ફરમાવે છે કે-આ અનુષ્ઠાન ભિન્નગ્રંથી જીવોને જ હોઇ શકે છે. અભિન્નગ્રંથી જીવોમાં આ અનુષ્ઠાન સંભવતું નથી. રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રન્થિને ભેદ્યા વિના આવા અનુષ્ઠાનને આચરવાને કોઇ પણ આત્મા સમર્થ બની શકે એ શક્ય જ નથી. જીવાજીવાદિ તત્ત્વોના સમ્યજ્ઞાનવાળું આવું અનુષ્ઠાન પ્રશાન્તવૃત્તિવાળું એટલે કષાયાદિના વિકારોનો જેમાં નિરોધ છે તેવું હોય અને એથી તે ઔત્સુક્ય આદિ દોષોનું પણ નાશક હોય, તે સ્વાભાવિક જ છે. આવી વાતો ચાલતી હોયત્યારે તો ખાસ કરીને દરેકે પોતપોતાની પ્રવૃત્તિનું સૂક્ષ્મ અવલોક્ન કરવાની કાળજી રાખવી જોઇએ. પોતે જે કાંઇ ધર્મપ્રવૃત્તિને આચરે છે, તેમાં મોક્ષનો આશય છે કે નહિ તેમજ તે પોતાની પ્રવૃત્તિ બાહ્ય પ્રકારે તેમજ આભ્યન્તર પ્રકારે પણ શુદ્વ છે કે નહિ, એની સૌ કોઇએ તપાસ કરવી જોઇએ. જો મોક્ષનો આશય ન હોય, તો તો એ પ્રવૃત્તિમાં એક પણ પ્રકારની શુદ્ધિ સંભવતી જ નથી; એટલે સૌથી પહેલાં તો મોક્ષના આશયને પેદા કરવાના પ્રયત્નમાં લાગી વું જોઇએ. મોક્ષના આશયને પેદા કરવાને માટે જ્ઞાનિઓએ વિવિધ પ્રકારે સંસારના સ્વરૂપનું જે વર્ણન કર્યું છે-તેનો અભ્યાસ કરીને, તેનું મનન કરતાં રહેવું જોઇએ. સંસારની અસારતાનું સાચું ભાન થયા વિના મોક્ષનો અભિલાષ પ્રગટે નહિ, એટલે મોક્ષના અભિલાષને પામવો હોય તો સંસારની સર્વાંગ અસારતાનો સુન્દર પ્રકારે ખ્યાલ આવી જાય એવા પ્રયત્નો કરવા જોઇએ. જો એવા પ્રયત્નો કરવામાં આવે અને કાલ પાક્યો હોય, તો લઘુમિતા અને ભવિતવ્યતા આદિના યોગે જીવમાં મોક્ષનો અભિલાષ જરૂર પ્રગટી જાય. ચોથી વિંશિકામાં: ચરમાવર્ત્ત એટલે ?
મોક્ષનો અભિલાષ જો પ્રગટે તો તે ચરમાવર્ત્તવર્તી આત્માઓમાં જ પ્રગટી શકે છે. આથી અધિકારોના સૂચનની પહેલી વિંશિકા, લોક્ના અનાદિપણાની સિદ્ધિની બીજી વિંશિકા અને કુલધર્મો તથા નીતિધર્મો કે જે સ્વર્ગાદિનું કારણ બનવા છતાંય મોક્ષનું કારણ બની શકતા જ નથી, તેનું ત્રીજી વિંશિકામાં
Page 62 of 234

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234