Book Title: Chidanand Saraswati Santvani 28 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad View full book textPage 4
________________ પ્રકાશકનું નિવેદન નવજીવન અને દિવ્ય જીવન સંઘના સંયુક્ત ઉપક્રમે ‘સંતવાણી ગ્રંથાવલિ'નો ૨૮ પુસ્તિકાઓનો આ સંપુટ વાચકોના હાથમાં મૂકતાં આનંદ થાય છે. સર્વધર્મસમભાવના ઉદ્દેશને ધ્યાનમાં રાખી આ ‘સંતવાણી ગ્રંથાવલિ’ સંપુટ બ્રહ્મલીન શ્રી સ્વામી શિવાનંદજીની શતાબ્દી નિમિત્તે ગુજરાત દિવ્ય જીવન સંઘ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તે તૈયાર કરવામાં અનેક મિત્રોનો સહકાર મળ્યો હતો. છતાં તેની પાછળની એકધારી મહેનત સ્વ. ઉચ્છરંગભાઈ સ્વાદિયાની હતી તે નોંધવું જોઈએ. આ ગ્રંથાવલિની પહેલી આવૃત્તિ ચપોચપ ઊપડી ગયા પછી ૧૯૮૫માં તેનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું હતું. પરંતુ તેય પહેલી આવૃત્તિની જેમ જ ઝડપથી વેચાઈ જતાં ગ્રંથાવલિ ઘણાં વરસથી ઉપલબ્ધ ન હતી. ગાંધીજી પ્રસ્થાપિત સંસ્થાની બધા ધર્મોની સાચી સમજણ ફેલાવવાની જવાબદારી છે. વળી ઉચ્ચ શિક્ષણમાં હવે મૂલ્યશિક્ષણ તથા તુલનાત્મક ધર્મોના શિક્ષણનું મહત્ત્વ વધતું જાય છે. કેન્દ્ર સરકારના યોજના પંચે મૂલ્યોના શિક્ષણને પ્રોત્સાહન આપવાનું સમર્થન કર્યુ છે. આને અનુલક્ષીને આ પુસ્તક સંપુટ સામાન્ય વાચકો ઉપરાંત ઉચ્ચ શિક્ષણમાં કાર્ય કરતા સહુ કોઈને ઉપયોગી થઈ પડશે. ગુજરાત દિવ્ય જીવન સંઘે આ ગ્રંથાવલિ આ યોજનામાં પુનર્મુદ્રણ માટે સુલભ કરી તે માટે અમે તેમના આભારી છીએ. ‘સંતવાણી ગ્રંથાવલિ'ના આ પુસ્તક સંપુટના પ્રકાશનથી ગાંધીજીના સર્વધર્મસમભાવનો સંદેશો સર્વત્ર વસતાં ગુજરાતી કુટુંબોમાં પ્રસરશે એવી આશા છે. 2-411.84.24.-2 ३Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 70