Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala
View full book text
________________
ધર્મગ્રંથમાળા : ૯ : (૯) જડ વસ્તુઓ મારી નથી.
મહના પરિબળને લીધે આપણે ત્રાંબા, જસત, રૂપા તથા સોનાના ચૈતન્યહીન ટુકડાઓને “મારા” માની લઈએ છીએ; હીરા, માણેક, નીલમ તથા મોતી જેવા નિર્જીવ પદાર્થોને “મારા માની લઈએ છીએ અને ઈંટ, પત્થર, ચુના તથા લાકડાં–લેઢાનાં જડ મકાનેને પણ “મારા” માની લઈએ છીએ; પણ એ વિચાર કરતા નથી કે જે વસ્તુઓ ચૈતન્યહીન છે, નિર્જીવ છે, જડ છે, તે મારી કેમ હોઈ શકે? શું બકરીનું બચ્ચું ઘડાનું થાય છે? ઘેડાનું બચ્ચું ઊંટનું બચ્ચું થાય છે? કે ઊંટનું બચું હાથીની સંજ્ઞા ધારણ કરે છે? જે એને જવાબ નકારમાં હેય-નકારમાં જ હોય–તે પછી જડ વસ્તુઓને આત્માની માની લેવામાં કઈ બુદ્ધિમત્તા છે?
એટલે “જંડ વસ્તુઓ “મારી નથી, પણ જ્ઞાન-દર્શનચારિત્ર-તપ મારાં છે એ વિચાર સ્થિર થે ઘટે છે. (૧૦) સગપણુસબ કાલ્પનિક છે.
મેહના પરિબળને લીધે, આપણે “મારી માતા” “મારા પિતા,” “મારી પત્ની,” “મારા પુત્રે,” “મારી પુત્રીએ”
મારાં કુટુંબીઓ,” “મારાં સ્વજને,” “મારા સંબંધીઓ એમ જુદાં જુદાં સગપણ-સંબંધે માની લઈએ છીએ પણ તે વાસ્તવિક નથી. કારણ કે“કાળી ગાથા વાયા, વાયા માયા રિવા જ પુત્ત જા अणवत्था संसारे, कम्मवसा सब्बजीवाणं ॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com