Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala
View full book text
________________
ધ બે-ગ્રંથમાળા
: ૩૪ :
: પુષ્પ
તીખું જ પસંદ પડતુ હાય અને તેથી ઓછું કે વસ્તુ થતાં નાકનું ટેરવું ઊંચું ચડતું હોય તે સમજવુ કે હજી રસને જીતાયેા નથી, રસને દ્રિયને જિતી શકાઇ નથી,
જો અત્તર, સેન્ટ, લેા અને બીજા સુગંધી પદાર્થાની વાસથી મન પ્રસન્ન થતુ હોય અને કોઇ પણ કારણે ઉત્પન્ન થયેલી ખરાબ વાસ કે દુર્ગ ધથી ચીડ ચડતી હાય તે જાણવું કે હજી ગંધને જીતાયા નથી, ધ્રાણેદ્રિયને જીતી શકાઈ નથી.
જો યૌવન તરફ આકર્ષણુ થતુ હોય અને વૃદ્ધાવસ્થા જોઇને ચીડ ચડતી હોય, જો બાહ્ય ભપકા મન પર અસર કરતા હાય અને આંતરિક ગુણ્ણા તરફ ઉપેક્ષા થતી હાય, જે વસ્ત્રાભૂષણ અને ટાપટીપ તરફ મન લેાભાતુ હોય અને સાદાઈ તથા સુઘડતામાં પ્રસન્નતા ન અનુભવાતી હોય તે જાણવુ' કે હજી રૂપને જીતી શકાયુ નથી, ચક્ષુરિદ્રિયને જીતી શકાઈ નથી.
જો મનેાહર સ*ગીત સાંભળીને હ થતા હાય અને કરુણ કંદન સાંભળીને ચીડ ચડતી હોય અથવા ખુશામતનાં વાક્યા સાકર જેવા મીઠાં લાગતાં હોય અને હિતભાવે કહેવાયેલા શબ્દો વિષ સમાન કડવા જણાતા હાય તા સમજવું કે હજી શબ્દને જીતી શકાયા નથી, શ્રોત્રે દ્રિયને જીતી શકાઈ નથી.
જો કોઈ પણ કારણે ગુસ્સો આવતા હાય, લેાહી તપતુ હાય, અન્યને શિક્ષા કરવાનું મન થતું. હાય કે વેર લેવાની વૃત્તિ જાગતી હાય તા સમજવુ કે હજી ક્રોધકષાયને જીતી શકાયા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com