Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 44
________________ નવમું : : ૩૯ : ચારિત્રવિચાર આંધળાએ કહ્યું–“ભાઈ પંગુ ! આમ નિરાશ થયે આપણે દહાડે શું વળશે ? એ માટે કંઈક પણ યુક્તિ શોધી કાઢવી જોઈએ. જે કામ બળથી થતું નથી, તે કામ કળથી જરૂર થાય છે.” પાંગળાએ કહ્યું- દોસ્ત ! તારી વાત તદ્દન સાચી છે, પરંતુ આ આફતથી હું એટલે બધા ગભરાઈ ગયો છું કે મારી અક્કલ કંઈ કામ આપી શકે તેમ લાગતું નથી.” આંધળાએ કહ્યું – આક્ત સમયે બુદ્ધિને સ્થિર રાખવી એ શાણું મનુષ્યનું કર્તવ્ય છે, માટે તું બુદ્ધિને સ્થિર રાખ અને કઈ પણ ઉપાય શોધી કાઢ; નહિ તે આપણું સે વર્ષ અહીં જ પૂરાં થયાં સમજજે.” આ શબ્દએ પાંગળામાં ર્તિ આણી અને એક ઉપાય તેના મનમાં એકાએક ઝબકી ગયે. તેણે આંધળાને કહ્યું - સ્ત ! મને એક ઉપાય મળી આવ્યું છે. તે શરીરે ઘણે મજબૂત છે અને તારી ખાંધ ઉપર મને ઉચકી શકે તેમ છે. એથી તારી ખાંધ પર મને ઉચકી લે અને હું તને રસ્તો બતાવું તેમ ચાલવા માંડ. આથી ખાડાખડિયામાં પડી જવાને કે જાળાં-ઝાંખરામાં ભરાઈ જવાનો ભય રહેશે નહિ. આ રીતે આપણે આ જંગલમાંથી સલામત રસ્તે બહાર નીકળી જઈશું અને પાસેના નગરમાં પહોંચી શકીશું.” પાંગળાને સ્કૂલે ઉપાય સારો હતો. એ ઉપાય કામે લગાડતાં તે બંને દાવાનળમાંથી બચી ગયા અને પાસેના નગરમાં સહીસલામત પ્રવેશ કરી શક્યા. એ રીતે જ્ઞાન અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85