Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala
View full book text
________________
નવ: : ૫૭ :
ચારિવિચાર (૩૮) મૃગાપુત્રની સ્થા
અનેક ઉદ્યાનેથી સુશોભિત અને સમૃદ્ધિથી રમણીય સુગ્રીવ નામનું એક નગર હતું. તેમાં બલભદ્ર નામે રાજા રહેતું હતું. તેને મૃગાવતી નામે રાણી હતી, જેનાથી બલશ્રી નામને એક કુમાર ઉત્પન્ન થયો. આ કુમાર મૃગાપુત્ર તરીકે સવત્ર ઓળખાતું હતું.
તે દેગુન્દક જાતિના દેવેની માફક મનહર રમણીઓ સાથે નંદન નામના મહેલમાં હમેશા આનંદપૂર્વક ક્રીડા કરતે હિતે. એક વાર તે એ મહેલના ગેખમાં બેસીને નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને મેટાં ચગાનને જોતો હતો, તેવામાં તપશ્ચર્યા, સંયમ અને નિયમેને ધારણ કરનાર, અપૂર્વ બ્રહ્મચારી અને ગુણની ખાણરૂપ એક સંયમી-સાધુ તેના જેવામાં આવ્યા કે તે એને ધારી ધારીને જેવા લાગે અને આંખનું એક પણ મટકું માર્યા વિના તેમની સામે તાકી રહ્યો. તેમ કરતાં તેને વિચાર આવ્યું કે “આવું સ્વરૂપ, આ વેશ મેં પહેલાં કયાંક અવશ્ય જે છે. આ પ્રમાણે ચિંતન કરતાં શુભ અધ્યવસાય જાગૃત થયા અને મેહનીય કર્મને ઉદય મંદ થવાથી ત્યાં ને ત્યાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું.
આ જ્ઞાન થવાથી તેણે પોતાના ગત જન્મને જોયા અને તેમાં આદરેલું સાધુપણું યાદ આવ્યું, તેથી ચારિત્રમાં પ્રીતિ ઉદ્દભવી અને વિશ્વમાં વિરતિ થઈ એટલે તેણે માતાપિતાની પાસે આવીને કહ્યું –
હે માતાપિતા! પૂર્વકાળમાં મેં પાંચ મહાવ્રતરૂપ સંયમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com