Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala
View full book text
________________
નવમું :
: ૧૮ :
ચારિત્રવિચાર મારા ભતરને નાનો ભાઈ છે, એટલે મારો દિયર છે. (૪) તે મારા ભાઈને પુત્ર છે, એટલે મારે ભત્રીજો છે. (૫) તે મારી માતાના પતિને ભાઈ છે, માટે મારો કાકો છે અને (૬) મારી શેક્યના પુત્રને પુત્ર છે, એટલે મારો પાત્ર છે. વળી વધારામાં તેણે કહ્યું કે (૭) આ બાળકને પિતા અને હું એક જ માતાના ઉદરે જમેલા છીએ એટલે તે મારે ભાઇ છે. (૮) અને તે મારી માતાને ભર થયે, તેથી મારે પિતા છે. (૯) અને તે મારા કાકાને પિતા થયે, તેથી મારો વડદાદે છે. (૧૦) અને તે પ્રથમ મને પરણેલે છે, તેથી મારો ભર્તાર છે. (૧૧) અને તે મારી શેયને પુત્ર છે, તેથી મારો પણ પુત્ર છે. તથા (૧૨) મારા દિયરને પિતા થાય છે, તેથી મારે સસરે છે. અને (૧૩) આ બાલકની માતા છે, તે મને જન્મ આપનારી છે, માટે મારી માતા છે. (૧૪) અને મારા કાકાની માતા છે, તેથી મારી દાદી છે. (૧૫) અને મારા ભાઈની સ્ત્રી છે તેથી મારી જાઈ છે. (૧૬) અને મારી શેષના પુત્રની સ્ત્રી થઈ તેથી મારી પુત્રવધુ છે. (૧૭) અને મારા ભર્તારની માતા છે તેથી મારી સાસુ છે. તથા (૧૮) મારા ભાઈની બીજી સ્ત્રી થઈ, માટે મારી શક્ય છે. આ રીતે કુબેરદત્તા સાધવીએ અઢાર સંબંધે-અઢાર નાતરાં કહી બતાવ્યાં. તે સાંભળીને કુબેરદત્ત અત્યંત ખેદ પામ્ય અને વૈરાગ્યથી વાસિત થયે. કુબેરસેનાએ પણ દૂર ઊભાં ઊભાં આ બધું સાંભળ્યું હતું એટલે તે પણ અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગી અને સંસારના મિશ્યા સ્વરૂપથી વૈરાગ્ય પામી. પરિણામે કુબેરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com