Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala
View full book text
________________
વાવમું :
૨૪ :
ચારિત્રવિવાર હોડમાં મૂકાય છે ત્યારે પાંચે વિષયનાં સુખમાં આસક્ત બનનારની સ્થિતિ શું થાય તે દરેકે સ્વયમેવ વિચારી લેવું ઘટે છે.
જેઓ વિષયસુખમાં અંધ બને છે, તેઓ વેશ્યાગામી થાય છે, પરસ્ત્રી પર કુદષ્ટિ કરે છે કે પિતાની પરણેતર સાથે પણ અનુચિત વ્યવહાર કરી તિરસ્કારને પાત્ર બને છે. વળી વીર્યને સંગ્રહ જલદી ખલાસ થતાં તેમના શરીર અને મન કમજોર બને છે તથા નાના પ્રકારના વ્યાધિઓ ઉત્પન્ન થઈ તેમને દીર્ઘ કાળ પર્યત સતાવે છે.
જેઓ રસના અતિભેગી બને છે તેઓ ભયભણ્યનું ભાન ભૂલી જાય છે, સમય-કુસમયને ખ્યાલ ચૂકી જાય છે તથા માન-અપમાનને વિસરી જઈ મૂર્ખની પંક્તિમાં વિરાજે છે. વળી તેમને અજીર્ણ, અપ, અતિસાર, મરડે અને એવા જ બીજા રેગો લાગુ પડે છે કે જે તેમની જીવાદોરીને ટુંકાવે છે.
જેઓ વાસ, રૂપ અને શબ્દના લાલચુઓ બને છે, તેમની સ્થિતિ પણ આવી જ કઢંગી બને છે અને તેનાં વિષમ પરિણામે ભેગવતાં જીવનની ભયંકર બરબાદી થાય છે. એટલે વિષય સુખમાં લુબ્ધ ન બનતાં આત્મિક સુખની અભિલાષા રાખવી એ જ ડહાપણભરેલું છે. (૧૫) મેહનું મહાતાંડવ.
ઈતિહાસનાં પૃષ્ઠો ઉથલાવો એટલે મેહનું મહાતાંડવ નજરે પડશે. દીર્ઘ રાજાના પ્રેમમાં પડેલી ચૂલણ રાણું પિતાના પુત્ર બ્રાદત્તને જીવતો સળગાવી મૂકવાનું કાવતરું કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com