Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala
View full book text
________________
નવમું : : ૨૬ :
ચારિત્રવિચાર (૧૬) મેહથી ઉત્પન્ન થતા ભાવે.
મેહથી ઉત્પન્ન થતા ભાવે મુખ્યત્વે બે પ્રકારના છેઃ (૧) સમ્યકત્વને રોધ કરનારા અને (૨) ચારિત્રને રોધ કરનારા. તેમાં સમ્યકત્વને રોધ કરનારા ભાવે ત્રણ પ્રકારના છે.
(૧) મિથ્યાત્વ મેહનીય-જેના ઉદયથી જીવને મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે, એટલે વીતરાગે પ્રરૂપેલાં તેની વિપરીત સહણા(શ્રદ્ધા) થાય છે.
(૨) મિશ્ર મેહનીય–જેના ઉદયથી જીવને સમ્યકત્વ અને મિથ્યાત્વના મિશ્ર પરિણામે થાય છે.
(૩) સમ્યકત્વ મેહનીય–જેના ઉદયથી જીવને લાયક સમ્યક્ત્વ (કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થતું અત્યંત નિર્મળ સમ્યક્ત્વ) થતું અટકે છે.
ચારિત્રને રાધ કરનારા ભાવે બે પ્રકારના છેઃ (૧) કષાયરૂપ અને (૨)નોકષાયરૂપ. કષ એટલે કર્મ અથવા ભવ, તેમને આય એટલે લાભ, જેનાથી, જે વડે કે જે છતે થાય તે કષાય. જે કષાય જેટલા પ્રબલ નથી તે નેકષાય. અથવા જે કષાયની અપેક્ષાએ ઘણું ગૌણ છે તે ક્યાય, અથવા ક્રોધાદિ કષાયેના જે ઉત્તેજક છે તે નકષાય.
કષાયરૂપ ભાવે મુખ્યત્વે ચાર પ્રકારના છેઃ (૧) ક્રોધરૂપ (૨) માનરૂપ (૩) માયારૂપ અને (૪) લેભરૂ૫. અને તે દરેકના પણ તરતમતાથી ચાર-ચાર વિભાગો પડે છે. તે આ રીતેઃ (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાની (૩) પ્રત્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com