Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 170
________________ ૪) કી [૧૯૨] કૌશલિક અરહંત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમકે; “હું ચવીશ' એમ તે જાણે છે, ઈત્યાદિ બધું આગળ શ્રીમહાવીરના પ્રકરણમાં આવ્યું છે તેમ કહેવું યાવત્ “માતા સ્વપ્ન જુએ છે ત્યાં સુધી. તે સ્વપ્નો આ પ્રમાણે | G છેઃ “ગજ, વૃષભ” ઈત્યાદિ. વિશેષમાં એ કે, પ્રથમ સ્વપ્નમાં “મુખમાં પ્રવેશ કરતા વૃષભને જુએ છે” એમ અહીં સમજવું. આ સિવાય બીજા બધા તીર્થકરની માતાઓ પ્રથમ સ્વપ્નમાં “મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે એમ સમજવું. પછી સ્વપ્નની હકીકત ભાર્યા મરુદેવી, નાભિ કુલકરને કહે છે. અહીં સ્વપ્નોના ફળ બતાવનારા સ્વપ્નપાઠકો નથી એટલે એ સ્વપ્નોના ફળને નાભિ કુલકર પોતે જ કહે છે. [૧૩] તે કાલે તે સમયે જે તે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસની વદિ આઠમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડા સાત રાત દિવસ વીતી ગયા પછી ભાવતુ આષાઢા નક્ષત્રનો જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અરહંત ઋષભ નામના પુત્રને જન્મ આપ્યો. અહીં પૂર્વે કહ્યા પ્રમાણે જન્મ સંબંધી બધી તે જ હકીકત કહેવી, યાવત્ દેવો અને દેવીઓએ આવીને વસુધારાઓ US હલી kg) થી Jain Educanthem www .og

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232