Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 211
________________ વાર 09 () ડી જાણે હીટ ભોજન કરવું ન ખપે. અગાસીમાં રહેતા-ખાતાં કદાચ એકદમ વૃષ્ટિકાર્ય પડે તો ખાધેલું થોડુંક ખાઈને અને બાકીનું થોડુંક લઈને-તેને હાથ વડે હાથને ઢાંકીને અને એ હાથને છાતી સાથે દાબી રાખે અથવા કાંખમાં સંતાડી રાખે. આમ કર્યા પછી ગૃહસ્થોએ પોતાને સારુ બરાબર છાયેલાં ઘરો તરફ, અથવા ઝાડનાં મૂળો તરફ-ઝાડની ઓથે જાય; જે હાથમાં ભોજન છે તે હાથવડે જે રીતે પાણી કે પાણીનો છાંટો અથવા ઓછામાં ઓછી ઝીણી ફરફર-ઝાકળ-ઓસ વિરાધના ન પામે તે રીતે વર્તે-રહે. [૨૫૫] વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષુને જ્યારે કાંઈ કણમાત્ર પણ સ્પર્શ થાય એ રીતે ઓછામાં ઓછી ઝીણી ફરફર પડતી હોય ત્યારે ભોજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ન ખપે. [૨૫૬] વર્ષાવાસ રહેલા પાત્રધારી ભિક્ષુ અખંડધારાએ વરસાદ હોય ત્યારે ભોજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ન ખપે. ઓછો વરસાદ વરસતો હોય ત્યારે અંદર સૂતરનું કપડું અને ઉપર ઊનનું કપડું ઓઢીને ભોજન સારુ અથવા પાણી સારુ ગૃહપતિના કુલ તરફ તે ભિક્ષુને નીકળવું ખપે. (1) ઉ૭ ક. ૨૬ વર્ષ up 8 )

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232