Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 222
________________ [૨૭૬] વર્ષાવાસ રહેલો ભિક્ષુ કોઈ પણ એક વિગઈને ખાવા ઈચ્છે તો આચાર્યને, ઉપાધ્યાયને અથવા સ્થવિરને, પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કોઈને પ્રમુખ ગણીને વિહરતો હોય તેમને પૂછયા વિના તેને તેમ કરવાનું ન ખપે. પણ તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે. ભિક્ષુ તેમને આ રીતે પૂછે : હે ભગવન્! તમારી સમ્મતિ પામેલો છતાં હું કોઈ પણ એક વિગઈને આટલા પ્રમાણમાં અને આટલીવાર ખાવા સારુ ઈચ્છું છું.” આમ પૂછયા પછી જો તેઓ તેને સમ્મતિ આપે તો એ રીતે તે ભિક્ષને કોઈ પણ એક વિગઈ ખાવી ખપે, જો તેઓ તેને સમ્મતિ ન આપે તો તે ભિક્ષુને એ રીતે કોઈ પણ એક વિગઈ ખાવી ન ખપે. પ્ર.- હે ભગવન્! તે એમ કેમ કહો છો? ઉ.- એમ કરવામાં આચાર્યો પ્રત્યવાયને કે અપ્રત્યવાયને એટલે હાનિને કે લાભને જાણતા હોય છે. [૨૭૭] વર્ષાવાસ રહેલો ભિક્ષુ કોઈપણ જાતની એક ચિકિત્સા કરાવવા ઈચ્છે તો એ સંબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે સમજવું. cઊlinneaninલા ના લાલ યા

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232