Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 228
________________ () SU) છે - જે ઉપશમ રાખે છે તેને આરાધના છે, જે ઉપશમ રાખતો નથી તેને આરાધના નથી માટે પોતે જાતે જ ઉપશમ રાખવો જોઈએ. પ્ર.- હે ભગવન્! તે એમ કેમ કહેલું છે? ઉ.- શ્રમણપણાનો સાર ઉપશમ જ છે માટે તે એમ કહેલું છે. [૨૮] વર્ષાવાસ રહેલા નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું ખપે. તે જેમકે; ત્રણમાંના બે ઉપાશ્રયોનું વારંવાર પડિલેહણ કરવું ઘટે અને જે વપરાશમાં છે તેની પ્રાર્થના કરવી જોઈએ. [૨૮૮] વર્ષાવાસ રહેલાં નિગ્રંથો કે નિગ્રંથીઓએ કોઈએક ચોક્કસ દિશાનો કે ચોક્કસ વિદિશાનો-ખૂણાનો-જ-ઉદ્દેશ કરીને ભાત પાણીની ગવેષણા કરવા જવાનું ખપે. પ્ર.- હે ભગવન્! તે એમ કેમ કહેલ છે? ઉ.- શ્રમણ ભગવંતો વર્ષાઋતુમાં ઘણે ભાગે વિશેષ કરીને તપમાં સારી રીતે જોડાયેલાં હોય છે. તપસ્વી દૂબળો હોય Jain Educmon International For we are only www.m ary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232