Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 215
________________ ૨૦૧ J ag J ઈઈ ત્યાં કોઈ પાંચમો સ્થવિર કે સ્થવિરા હોવી જોઈએ અથવા તેઓ બીજાઓની નજરમાં દેખી શકાય તેમ રહેવાં કે જોઈએ અથવા ઘરનાં ચારે બાજુનાં બાર ઉઘાડાં હોવાં જોઈએ, એ રીતે તેઓને એકલા રહેવું ખપે. [૨૬૧] અને એ જ પ્રમાણે એકલી નિગ્રંથી અને એકલા ગૃહસ્થના ભેગા નહીં રહેવા સંબંધે પણ ચાર ભાંગા સમજવા. [૨૬૨] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને બીજા કોઈએ જણાવ્યા સિવાય, તેને માટે અશન પાન ખાદિમ કે સ્વાદિમ લેવું ન ખપે. ૨૦૧ પ્ર.- હે ભગવાન્ ! તે એમ કેમ કહો છો ? ઉ.- બીજા કોઈએ જણાવ્યા સિવાય, આણેલું અશન વગેરે ઈચ્છા હોય તો બીજો ખાય, ઈચ્છા ન હોય તો બીજો ન ખાય. [૨૬૩] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને તેમના શરીર ઊપરથી પાણી ટપકતું હોય વા તેમનું શરીર ભીનું ઈ હોય તો અશન પાન ખાદિમ કે સ્વાદિમને ખાવું ન ખપે.

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232