Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 206
________________ જ [૩૮] વર્ષાવાસ રહેલામાંના કેટલાકોને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. હે ભદન્ત ! માંદા માટે પ્રયોજન છે?” અને તે બોલે-પ્રયોજન છે. પછી માંદાને પૂછવું જોઈએ કે કેટલા દૂધ વગેરેનું પ્રયોજન છે? અને દૂધ | Tી વગેરેનું પ્રમાણ માંદા પાસેથી જાણી લીધા પછી તે બોલે-આટલા પ્રમાણમાં માંદાને દૂધ વગેરેનું પ્રયોજન છે. માંદો તેને જે પ્રમાણમાપ-કહે તે પ્રમાણે લાવવું જોઈએ અને પછી લેવા જનારો વિનંતી કરે, અને વિનંતી કરતો તે દૂધ વગેરે પ્રાપ્ત કરે, હવે જ્યારે તે દૂધ વગરે પ્રમાણસર મળી જાય ત્યારે “સર્યું-બસ’ એમ તેણે કહેવું જોઈએ. પછી દૂધ વગેરેને આપનારો તેને કહે કે હે ભગવંત! “બસ’ એમ કેમ કહો છો ? પછી લેનારો ભિક્ષુ કહે કે માંદાને માટે આટલાનું પ્રયોજન છે. તે લેવા જનારને માંદાની નિશ્રાથી એટલે માંદાને બહાને વધારે લેવું ન ખપે. [૨૩૯] વર્ષાવાસ રહેલા સ્થવિરોએ તથા પ્રકારનાં કુલો કહેલાં હોય છે; જે કુલો પ્રીતિપાત્ર, સ્થિરતાવાળાં, વિશ્વાસપાત્ર, સમ્મત, બહૂમત, અને અનુમતિવાળાં હોય છે, તે કુલોમાં જઈને જોઈતી વસ્તુ નહીં જોઈને તેમને એમ બોલવું નો ખપેઃ હે આયુષ્મત ! આ અથવા આ તારે ત્યાં છે ? ( - ૪ લી જીજી Jan Eclat www ry.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232