Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 179
________________ ૧૬૫ OE ઈઈ એ રીતે પૂરેપૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણપર્યાયને પામ્યા. એ રીતે એકંદર પોતાનું ચોરાશી લાખ પૂર્વનું પૂરેપૂરું છે આયુષ્ય પાળીને, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ ક્ષીણ થતાં આ સુષમદુઃષમા નામની અવસર્પિણીનો ઘણો સમય વીતી જતાં અને હવે તે અવસર્પિણીના માત્ર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં બરાબર એ સમયે જે તે હેમંત ૠતુનો ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે માઘ માસની વિદ તેરશના પક્ષમાં અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રીૠષભ અરહંત બીજા ચૌદ હજાર અનગારો સાથે પાણી વગરના ચઉદસ ભક્તનું તપ તપતાં અને એ વેળાએ અભિજિત નક્ષત્રનો જોગ થતાં દિવસના ચડતે પહોરે પથંકાસનમાં રહેલા કાલગત થયા, નિર્વાણ પામ્યા. amy ange ne am [૨૦૦] કૌશલિક અરહંતના ઋષભનું નિર્વાણ થયે ત્રણ વરસ અને સાડા આઠ માસ વીતી ગયા, ત્યાર પછી પણ બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ કમ એવી એક કોટાકોટી સાગરોપમ જેટલો સમય વીતી ગયો, એ સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા, ત્યાર પછી પણ નવસ વરસ પસાર થઈ ગયાં અને હવે એ દસમા સૈકાના એંશીમા વરસનો આ સમય છે. ત્યારે ગ્રંથવાંચન થયું. ઈ ૧૬૫ ઇઇ

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232