________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનું માત્ર અત્રિ મરણ કરાવવામાં આવે છે. સામાન્ય વિદ્યા પણ વિનય શિવાય-ગુરૂભક્તિ શિવાય—પ્રાપ્ત થતી નથી, તે પછી આત્મજ્ઞાન જે ગહન વિષય ગુરૂભક્તિ વિના શી રીતે પ્રાપ્ત થઈ શકે?
આ જગતમાં પરાપૂર્વથી જ્ઞાન પ્રાપ્ત કરવાના ત્રણ માગે ગણવામાં આવેલા છે; ધન, વિદ્યા અને ગુરૂ પાદશુશ્રુષા ધનથી વિદ્યા પ્રાપ્ત કરવી એ વિદ્યા મેળવવાને કનિષ્ઠ માગ છે. વિઘા આપી વિદ્યા પ્રાપ્ત કરવી એ મયમ માર્ગ છે. પણુ ગુરૂના ચરણ કમળની સેવા કરી ગુરૂકૃપા દ્વારા ગુરૂના આશીર્વાદ દ્વારા જ્ઞાન મેળવવું તે વિદ્યાને ઉત્તમ માગે છે. માટે જ અત્રે કહેવામાં આવ્યું છે કે ગુરૂની અત્યંત ભક્તિ પૂર્વક ઉપાસના કરવી અને ધર્મનું શ્રવણ કરવું. આ કલેકમાં પ્રણામ કરવા અને ભક્તિ કરવી એ બે વિશેષણ મુકવામાં આવ્યા છે, તે જૈન શાસ્ત્રમાં દશાંવેલ આમ્નાય સમજવાં; વિનયવંતનેજ વિદ્યા આપવી જેમ દુધ સર્વ પ્રાણી માત્રને હિતકારી છે, પણ સર્ષ તે પીએ છે, ત્યારે ઝેર રૂપે ફેરવાઈ જાય છે, તેમ આત્મજ્ઞાન અત્યંત હિતકારી અને મેક્ષમાર્ગ સાધક છતાં કુશિષ્યને આપવામાં આવે તે અનર્થકારી નીવડે છે. તેમાં આત્મ જ્ઞાનને દેષ નથી. પણ કુશિષ્યરૂપ ખરાબ અધિકારીને દેષ છે. માટે ગુરૂએ પણ ગ્ય અધિકારી જોઈ આ આત્મજ્ઞાનને મહાન વિષય શિખવ, એજ લક્ષ્યાર્થ છે.
अवतरणम्-सदुपदेशस्तु सद्गुरुशरणमन्तरेण न फल
For Private And Personal Use Only