________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું કોઈ મનુષ્ય ક્ષણે ક્ષણે સ્મરણ કરે છે, તે આત્માની સાથે તન્મય થઈ જાય છે. ગસારમાં લખ્યું છે કે
यदा ध्यायति यद्योगी, याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तनित्यमात्मविशुद्धये ॥
જ્યારે ભેગી જેનું ધ્યાન કરે છે, ત્યારે તે તન્મયથાય છે. માટે આત્માની વિશુદ્ધિ માટે, નિરંતર વિતરાગનું ધ્યાન કરવું કે જેથી આમા વિશુદ્ધ થાય.
આ પ્રમાણે નિરંતર આત્મસ્મરણથી, આત્મધ્યાનથી, આમરમણતાથી, આત્મા પરમાત્મા થાય છે, અને જેને જરા મરણ તેને અસર કરી શકતાં નથી. પણ નિરંતર આત્મમરણ કેણ કરી શકે છે જેનું મન સંસારના માયાવી અસત્ય અને દુઃખપૂર્ણ પદાર્થ ઉપરથી ઉઠી ગયું છે, અને જે કાંઈ નિત્ય અને શાશ્વત આનંદ આપનાર તત્વ શોધ તે હોય તે મનુષ્ય આ કામ બરાબર કરી શકે છે. તેનું મન વિષયે તરફ નહિ દેરાતાં આત્માભિમુખ વળે છે; અને તેથી તે પળે પળે આત્માનું સ્મરણ કરે છે. તેનું આખું જીવન આત્મમય બની રહે છે. તે જ મનુષ્ય ખરા. આનંદને જોક્તા થાય છે. अवतरणम्-नामान्तरेणात्मानमुपदिशति.
श्लोकः महेश्वरं महाधारं अच्युतानन्दकं स्मरेत् । स प्राप्नोति ध्रुवं सौख्यं भूत्वा श्रीजगदीश्वरः ७९
For Private And Personal Use Only