Book Title: Atmapradip
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 282
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૨ કરમાઈને ખરવા માંડે છે. આ રીતે આમધ્યાનથી કર્મ ખરી પડે છે, અને આ રીતે આત્માને આવરણ કરનાર કર્મ ખરી પડવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. માટે આ લેકમાં કહેલું છે કે ધ્યાનથી સર્વ કર્મને છેદ કરનારી આમ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આવું સતત ધ્યાન કરવામાં વિદનરૂપ થનારાં બે કારણે ગ્રન્થકાર પ્રકટ કરે છે. તે નિન્દા અને નિદ્રા છે. આત્મ ધ્યાનના અભ્યાસીઓએ આ બે દેને અવશ્ય ટાળવા જોઈએ. નિન્દાનું વ્યસન એવું છે કે જેમ તેને આસ્વાદ લેવામાં આવે તેમ તેમ તે વિશેષ વૃદ્ધિ પામે છે. બીજી ટેવોની માફક નિન્દા કરવાની પણ ટેવ પડી જાય છે, તે ટેવ એકદમ છુટતી નથી, અને જેનું મન નિન્દા કરવામાં રોકાઈ ગયું, તેનું મન આત્મ ધ્યાનમાં સ્થિર થઈ શકે નહિ. મન એકજ સમયે એકજ બાબતને ઉપગ રાખી શકે, એ નિયમ હેવાથી આત્મધ્યાન અને નિદા બન્ને સાથે સંભવી શકે નહિ, માટે જ તે દેષ સર્વથા ટાળવે. તેનાથી કાંઈ પણ લાભ નથી, અને ઉલટ તે અવગુણ આપણને સંસારમાં રખડાવે છે, અનેકને શત્રુ બનાવે છે, માટે તેની છાયા પણ લેવી નહિ. વળી તે સાથે નિદ્રાને ત્યાગ કરે. નિદ્રા આલસ્ય સૂચક છે. આલસ્ય પ્રમાદ એ માટે દેષ છે. આત્મ માર્ગમાં વિદ્મ કરનાર તેર કાઠીયામાં પ્રસાદ મુખ્ય સ્થાન ભેગવે છે. આત્મ ધ્યાન રસિક પુરૂષે ક્ષણ પણ પ્રમાદ સેવ જોઈએ નહિ ક્ષણ પણ મનને બીજે માર્ગ દેરવાઈ જવા દેવું જોઈએ નહિ, પણ તેના ઈષ્ટવિષય-આત્મા પર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302