Book Title: Atma Avlokan
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * પ્રકાશકીય નિવેદન * આ “આત્માવલોકન' ગ્રંથના રચયિતા શ્રી દીપચંદજી કાસલીવાલ જૈપુરી છે. તેઓ આમેરના રહીશ હતા, તેઓ ઉચ્ચકોટીના આધ્યાત્મિક વિદ્વાન્ હતા. તેમણે આ ગ્રંથ ઉપરાંત અનુભવ પ્રકાશ, ચિવિલાસ, અનુભવ વિલાસ છંદ, પરમાત્મપુરાણ છંદ, સ્વરૂપાનંદ બૃહત્ તથા લઘુ જ્ઞાન દર્પણ, ગુણસ્થાનભેદ, ઉપદેશર—છંદ, અધ્યાત્મ પચીસી છંદ વગેરે રચેલાં છે. તેમના સમય અને જીવન સંબંધી જાણવાના સાધનના અભાવે કાંઈ વિશેષ લખી શકાતું નથી. પણ તેમના લખાણ ઉપરથી જણાય છે કે અધ્યાત્મ પરિણત સિદ્ધાંત જ્ઞાની હતા. આ આત્માવલોકન ગ્રંથ નાનો હોવા છતાં લેખકે તેમાં ઘણો વિષય આવરી લીધો છે. અનુવાદકે આ બાબતમાં ઘણું વિસ્તારથી વિષય પ્રવેશનું લખાણ આપેલ હોઈ તેનું પુનરાવર્તન કરવું ઉચિત નથી. સ્વાનુભવથી વિભૂષિત, આત્મજ્ઞસંત પ. પૂ. સદગુરુદેવશ્રી કાનજી સ્વામી દ્વારા અધ્યાત્મ જૈન જગતમાં વર્તમાનમાં મહાન ક્રાંતિ થઈ છે. અને તત્ત્વજ્ઞાનનો પ્રચાર પ્રતિદિન વધતો રહ્યો છે. તેની અંતરગત અમારા ટ્રસ્ટમાં પણ અનેક અધ્યાત્મગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે. તેમાં આ આત્માવલોકનનો ગુજરાતી અનુવાદ મુમુક્ષુઓ સમક્ષ મૂકતા આનંદ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 194