Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
गुर्जरविवेचनसमन्वितः
१४९
કર્મો બંધાયા છે. (અહીં મિથ્યાત્વાદિગત “આદિ શબ્દથી બંધના હેતુ તરીકે અવિરતિ-પ્રમાદાદિનું પણ ગ્રહણ કરવું અને જ્ઞાનાવરણાદિગત “આદિ શબ્દથી બંધાતાં કર્મ તરીકે દર્શનાવરણાદિ કર્મો પણ લેવા...).
આ જ્ઞાનાવરણાદિ કર્મો આંખના પાટા જેવા છે. જેમ પાટો બાંધવાથી આંખ ઢંકાઈ જાય અને કશું ન દેખી શકાય, તેમ પાટા જેવા આ જ્ઞાનાવરણાદિ કર્મોથી જીવનું સ્વરૂપ (જ્ઞાન-ચૈતન્યરૂપ સ્વરૂપ) ઢંકાઈ જાય છે અને તેથી યથાર્થસ્વરૂપ જાણી શકાય નહીં.
પ્રશ્ન : આ કર્મ-આચ્છાદનને દૂર કરવાનો ઉપાય ?
ઉત્તર : જુઓ, (૧) સંકેત, (૨) તપ, (૩) ચારિત્ર, (૪) દાન, (૫) મિથ્યાત્વાદિના પ્રતિપક્ષભૂત-સમ્યક્તાદિની ભાવનાઓ... આ બધા ઉપાયો છે. અર્થાત્ જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમ-ક્ષયના કારણો છે.
આ બધા કારણોથી ક્ષયોપશમ-ક્ષય થયા બાદ, તે વ્યક્તિને વિવક્ષિત અર્થકાર (ઘટ શબ્દથી ઘટાકાર) સંવેદન થાય છે.
એટલે સાર એ કે, સંવેદન થવામાં મૂળ કારણ તો ક્ષયોપશમ જ છે... (૧) ક્ષયોપશમ હોય તો સંકેતાદિ વિના પણ અર્થાકાર સંવેદન થાય, અને (૨) ક્ષયોપશમ ન હોય તો સંકેતાદિ હોવા છતાં પણ અર્થાકાર સંવેદન ન થાય. - પૂર્વપક્ષ: જો પૂર્વોક્ત ક્રમ ન માનીએ તો? અર્થાત્ ક્ષયોપશમથી જ અર્થાકાર સંવેદન થાયએવું ન *માનીએ તો ?
સ્યાદ્વાદી? તો તો અર્થકાર સંવેદનની પ્રવૃત્તિનો જ અભાવ થાય ! કારણ કે નાના-નાના બાળકોને તો આ જન્મની અપેક્ષાએ પહેલીવાર જ તે પદાર્થો દેખાયા છે. એટલે તેઓને તેનો સંકેત કોઈએ કદી કર્યો જ નથી. આવા અસંકેતિત બાળકોને તો સંકેત કરવો શક્ય જ નથી (કેમ શક્ય નથી? તે હમણાં જ બતાવશે.) એટલે તેવા બાળકોને તો ક્ષયોપશમથી જ અર્થાકાર સંવેદન માનવું રહ્યું, અર્થાત્ ક્ષયોપશમ જ સંવેદનસાધક સિદ્ધ થયો.
પ્રશ્ન : બાળકને કેમ સંકેત કરવો શક્ય નથી ?
ઉત્તરઃ જુઓ - કોઈ વક્તા સંકેત કરવા, આવો વાક્યપ્રયોગ કરે કે “ષ પટઃ ૩ખ્યતે'...તો આ સંકેતક શબ્દો છે હવે તેમાંના પ્ત ૩ને શબ્દોનો સંકેત થયો નથી (બાળકને કંઈ જ ખબર નથી) તો તે શબ્દોનો અર્થ જ નહીં જણાય... | * પૂર્વપક્ષીને એ સાબિત કરવું છે કે – સંવેદનની પ્રવૃત્તિમાં ક્ષયોપશમ નહીં, પણ સંકેતાદિ જ કારણ છે – અને આવું સાબિત કરવા પાછળ ગૂઢ આશય એ કે, વસ્તુ અભિશાપરૂપ (શબ્દવા) ન હોઈ શકે, નહીંતર તો સંકેત વિના પણ શબ્દથી વસ્તુનો બોધ કેમ ન થાય? પણ ગ્રંથકારશ્રી, સંકેત વિના પણ ક્ષયોપશમથી સંવેદનની સંગતિ કરી, પૂર્વપક્ષીના પ્રલાપનો નિરાસ કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240