Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 206
________________ गुर्जरविवेचनसमन्वितः લઈશું. ભાવ એ કે, (૧) મૃસ્વભાવ જેનું કારણ છે, તેવા મૃતપિંડ-ઘટાદિ તત્કા૨ણ કહેવાય અને જળાદિ અતત્કારણ કહેવાય. (કારણ કે મૃત્સ્વભાવ તેનું કારણ નથી) તો આવા અતત્કારણરૂપ જળાદિથી જેની વ્યાવૃત્તિ હોય, તે મૃતપિંડ-ઘટાદિ સાધારણ કહેવાય... તે જ રીતે (૨) મૃત્સ્વભાવનું જે કાર્ય છે, તે ઘટાદિ તત્કાર્ય કહેવાય અને જળાદિ અતત્કાર્ય કહેવાય (કેમ કે તેઓ મૃત્સ્વભાવનું કાર્ય નથી.) તો આવા અતત્કાર્યરૂપ જળાદિથી જેની વ્યાવૃત્તિ હોય, તે મૃત્યુપિંડ-ઘટાદિ સાધારણ કહેવાય. o આમ અતત્કારણથી અને અતત્કાર્યથી વ્યાવૃત્તિરૂપે ઘટાદિ સાધારણ છે અને તેઓમાં મૃત્સ્વભાવ એ જ સાધારણ તત્ત્વ છે... તો હેતુ-ફળનું આવા કૃત્સ્વભાવના સંબંધી તરીકે હોવું તે જ વિશિષ્ટ હેતુ-ફળભાવ છે. १७५ સ્યાદ્વાદી ઃ તમારી આ વાત પણ માત્ર બોલવા પૂરતી છે, કારણ કે અતત્કા૨ણવ્યાવૃત્તિ અને અતત્કાર્યવ્યાવૃત્તિરૂપે પણ મૃતપિંડ-ઘટાદિ સાધારણ બને નહીં. તેનું કારણ એ કે, તમારા મતે ઘટાદિ તમામ પદાર્થો, સજાતીય-વિજાતીય બધા પદાર્થોથી સમાનપણે વ્યાવૃત્ત છે. (અર્થાત્ ઘટ જેમ જળથી વ્યાવૃત્ત છે, તેમ મૃતપિંડાદિથી પણ સમાનપણે વ્યાવૃત્ત છે.) એટલે ઘટ, મૃપિંડાદિને સાધારણ ન હોઈ શકે. પ્રશ્ન : (વિશેષામ્યુપામે હૈં) ઘટ જે રીતે જળથી વ્યાવૃત્ત છે, તે જ રીતે મૃતપિંડાદિથી વ્યાવૃત્ત નથી, પણ તેનાથી જુદી રીતે વ્યાવૃત્ત છે. (અર્થાત્ મૃપિંડથી વ્યાવૃત્ત ખરો, પણ જળની જેમ વ્યાવૃત્ત નહીં.) એટલે તે, મૃતપિંડને સાધારણ તો હોઈ જ શકે છે. ઉત્તર : આવું કહેવામાં અર્થતઃ તો ‘સમાનપરિણામ’ જ સ્વીકૃત થાય છે, કારણ કે ઉપરોક્ત કથનનો મતલબ એ થયો કે, ઘટ, મૃતપિંડથી સર્વથા વ્યાવૃત્ત નથી, પરંતુ કથંચિત્ સમાનપરિણામી પણ છે. (અને આવો સમાનપરિણામ માનવામાં તો અભ્યપગમવિરોધ થાય.) એટલે સાધારણ વસ્તુની સાથે સંબંધીપણું પણ અયુક્ત જણાઈ આવે છે. X * अथैकार्थक्रियाहेतुत्वम्, तदप्यसङ्गतम्, तस्यासिद्धत्वात्; नहि हेतुफलयोरेकार्थक्रियाहेतुत्वमस्ति यौगपद्याभावात् हेतुफलभावानुपपत्तेः फलस्यैवार्थक्रियारूपत्वाद्, यथोक्तम्‘ભૂતિયેષાં વિા સેવ’ જ્ઞાતિ । For Personal & Private Use Only -• પ્રવેશરશ્મિ : ભાવાર્થ : હવે એક અર્થક્રિયાના કારણરૂપે હોવું કહો, તો તે પણ અસંગત છે, કારણ કે તેવું અસિદ્ધ છે. જુઓ-હેતુ-ફળનું એક અર્થક્રિયાનું કારણપણું નથી, કારણ કે તે બેનું યૌગપદ્ય નથી અને (યૌગપઘ માનવામાં) હેતુ-ફળભાવ જ ઉ૫પન્ન ન થાય... વળી, ફળ જ અર્થક્રિયારૂપ છે. કહ્યું છે કે - જેઓની ઉત્પત્તિ તે જ અર્થક્રિયા છે...’ Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240