Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 207
________________ १७६ अनेकान्तवादप्रवेशः <0 * પંચમ વિકલ્પની અસંગતિ વિવેચન : (૫) હેતુ-ફળનું એક જ અર્થક્રિયાના કારણ તરીકે હોવું; તે જ તેઓની વિશિષ્ટતા છે, એવું કહેવું પણ અસંગત છે, કારણ કે તેવું (એકાર્થક્રિયાના કારણ તરીકે હોવું) સિદ્ધ નથી. તેનું કારણ એ કે, હેતુ-ફળ બંને એક જ અર્થક્રિયાના કારણ હોય એવું નથી, કારણ કે એક અર્થક્રિયાના કારણ તરીકે માનવા, તે બેનું યુગપદ્ અસ્તિત્વ માનવું પડે, પણ તેઓનું યુગપદ્ અસ્તિત્વ હોતું જ નથી. (હેતુ પૂર્વકાળે અને ફળ ઉત્તરકાળે - એમ પૂર્વાપ૨કાલીન અસ્તિત્વ જ હોય છે.) જો તેઓનું યુગપત્ અસ્તિત્વ માનો, તો હેતુ-ફળભાવ જ ઉપપન્ન થાય નહીં, કારણ કે બે ગોવિષાણની જેમ સમાનકાળે થનારી વસ્તુઓમાં હેતુ-ફળભાવ હોય નહીં. બીજી વાત, ફળ એ જ હેતુની અર્થક્રિયા છે (અર્થાત્ ઘટ જ માટીની અર્થક્રિયા છે.) કહ્યું છે કે “ઘટ વગેરેની ઉત્પત્તિ; તે જ માટી વગેરેની અર્થક્રિયા છે...” અને તેથી હેતુની અર્થક્રિયા એટલે ‘ફળ’ (અર્થાત્ માટીની અર્થક્રિયા એટલે ‘ઘટ’) તો હવે ફળની (ઘટની) અર્થક્રિયા (જલાહરણાદિરૂપ) કોઈ જુદી જ હોવી જોઈએ. અને જો જુદી હોય, તો હેતુ-ફળ બંને એક જ અર્થક્રિયાના કારણ હોય એવું શી રીતે સિદ્ધ થાય ? એટલે તે વાત પણ અનુચિત જણાઈ આવે છે. Jain Education International अथ विशिष्टकारणजन्म, तदप्यसाधु, कारणवैशिष्ट्यानुपपत्तेः तथाहि तत्प्रत्ययान्तरसम्पातात् प्रतिकलमाहितातिशयं सत्तन्निर्वर्त्तयद्विशिष्टमुच्यते इति । एतच्चायुक्तम्, प्रत्ययान्तरसम्पातेऽप्यतिशयायोगात् ; तथाहि स तस्यातिशयः प्रत्ययान्तरसम्पातजन्मानुत्पन्नस्य વા સ્થાત્ ? ઉત્પદ્યમાનસ્ય વા ? ઉત્પત્રસ્ય વા ? નિવર્તમાનસ્ય વા ? નિવૃત્તસ્ય વા ? इति विकल्पाः । न तावदनुत्पन्नस्य, तस्यैवासत्त्वात् । नाप्युत्पद्यमानस्य उत्पद्यमानावस्थाऽनभ्युपगमात् । नाप्युत्पन्नस्य, अनाधेयातिशयत्वाद्, अतिशयाधाने च तदन्यत्वप्रसङ्गात् । नापि निर्वर्त्तमानस्य निवर्त्तमानावस्थाऽनभ्युपगमात् । नापि निवृत्तस्य, तस्यैवाविद्यमानत्वात् । --• પ્રવેશરશ્મિ : ભાવાર્થ : હવે વિશિષ્ટ કારણથી જન્મ કહો, તો તે પણ સારું નથી, કારણ કે કારણની વિશિષ્ટતા જ ઉપપન્ન નથી. તે આ પ્રમાણે - તેઓ, બીજા પ્રત્યયોના સમાગમથી પ્રતિપળ અતિશયના આધાનવાળા થઈ કાર્યને ઉત્પન્ન કરે, તો તેઓ વિશિષ્ટ કહેવાય, પણ એ અયુક્ત છે; કેમ કે બીજા પ્રત્યયોના સમાગમમાં પણ અતિશય ઘટતો નથી. તે આમ - પ્રત્યયાંતરના સમાગમથી થનારો તે અતિશય કોનો થાય છે ? અનુત્પન્નનો, ઉત્પદ્યમાનનો, ઉત્પન્નનો, નિવર્તમાનનો, કે નિવૃત્તનો ? અનુત્પન્નનો તો ન મનાય, કારણ કે For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240